હિંમતનગરમાં મહાકાલી મંદિરનો ત્રિદિવસીય મહોત્સવ: 108 કળશ સાથે નીકળી ભવ્ય શોભાયાત્રા; માતાજી-ગણપતિ-ભૈરવની પ્રતિમા બગીમાં બિરાજમાન

હિંમતનગરમાં મહાકાલી મંદિરનો ત્રિદિવસીય મહોત્સવ:108 કળશ સાથે નીકળી ભવ્ય શોભાયાત્રા; માતાજી-ગણપતિ-ભૈરવની પ્રતિમા બગીમાં બિરાજમાન
Email :

હિંમતનગરના કેનાલ ફ્રન્ટ પર સ્થિત શ્રી શક્તિનગર મહાકાલી મંદિરના ત્રિદિવસીય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો બુધવારથી ભવ્ય પ્રારંભ થયો છે. મહોત્સવના બીજા દિવસે ગુરુવારે સવારે યજ્ઞશાળામાં વિધિવત પૂજન-અર્ચન અને હવન કરવામાં આવ્યા બાદ મંદિરેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં 108 પવિત્ર કળશ

સાથે મહાકાલી માતાજી, ગણપતિ દાદા અને ભૈરવ દાદાની પ્રતિમાઓને વિશેષ શણગારેલી બગીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. અન્ય એક વાહનમાં ધજા દંડ અને કળશને સન્માનપૂર્વક મૂકવામાં આવ્યા હતા. શોભાયાત્રાએ મંદિરથી પ્રારંભ કરી, નમસ્તે સર્કલ અને જૂની જિલ્લા પંચાયત થઈને શક્તિનગર વિસ્તારમાં પરિભ્રમણ કર્યું

હતું અને અંતે નિજ મંદિરે પરત ફરી હતી. આ ધાર્મિક શોભાયાત્રામાં મંદિરના સ્થાનિક ભક્તો, દાતાઓ અને મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભક્તિભાવથી તરબતર ભક્તોએ ગાયકો પર ₹20ની નોટોનો વરસાદ વરસાવ્યો હતો. આ મહોત્સવ દરમિયાન સમગ્ર વિસ્તારમાં ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું હતું.

Related Post