નવસારીમાં એક જ રાતે ત્રણ ઘરમાં ચોરી: શાંતિવન સોસાયટીમાં તસ્કરોનો કહેર, એક ઘરમાંથી રોકડ તો બીજામાંથી બ્રાન્ડેડ બૂટની ચોરી

નવસારીમાં એક જ રાતે ત્રણ ઘરમાં ચોરી:શાંતિવન સોસાયટીમાં તસ્કરોનો કહેર, એક ઘરમાંથી રોકડ તો બીજામાંથી બ્રાન્ડેડ બૂટની ચોરી
Email :

નવસારીની શાંતિવન સોસાયટીમાં તસ્કરોએ એક જ રાતમાં ત્રણ ઘરોને નિશાન બનાવ્યા છે. સોસાયટીમાં રહેતા વિશાલ પટેલ પરિવાર સાથે વાંસદાના સીંગાડ ગામ ગયા હતા ત્યારે તસ્કરોએ તેમના ઘરના પાછળના વાડામાંથી લોખંડની જાળી તોડી પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ કબાટ તોડી તેમાંથી આશરે ₹2000ની રોકડની ચોરી કરી હતી.

સદભાગ્યે ઘરમાં કોઈ કિંમતી દાગીના ન હોવાથી મોટું નુકસાન થયું નથી. એ જ રાતે તસ્કરોએ સોસાયટીમાં રહેતા એક NRIના મકાનમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઘરમાં કંઈ ન મળતાં તેઓ ખાલી હાથે પાછા ફર્યા હતા. આ ઉપરાંત, નગરપાલિકાના પૂર્વ કમિટી સભ્ય પ્રીતિ અમીનના ઘરની બહાર

મૂકેલા બ્રાન્ડેડ શૂઝની પણ ચોરી કરી નાસી ગયા હતા. સમગ્ર ઘટના સોસાયટીના CCTV કેમેરામાં કેદ થઈ છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે હજુ સુધી નવસારી ટાઉન પોલીસ મથકમાં આ અંગે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. સતત વધી રહેલી ચોરીની ઘટનાઓએ સ્થાનિક રહીશોમાં ચિંતા ઉભી કરી છે.

Related Post