Tips : બાળકોનું મગજ કોમ્પ્યુટરર જેવું તેજ થશે, ઘરના રસોડામાં છે ખજાનો….

Tips : બાળકોનું મગજ કોમ્પ્યુટરર જેવું તેજ થશે, ઘરના રસોડામાં છે ખજાનો….
Email :

આજે ટેકનોલોજીનો અને સ્પર્ધાનો જમાનો છે. આ વર્ષે ગુજરાત બોર્ડ અને સેન્ટ્લ બોર્ડના પરિણામો આવી ગયા છે. જેમાં આપણે જોયું કે અનેક બાળકો 90 ટકાથી વધુ પરિણામ લાવ્યા છે. આ બતાવે છે કે આજે બાળકો અને યુવાનોમાં સ્પર્ધા કેટલી વધી છે. આજે કોમ્પ્યુટર અને એઆઈના સમયમાં બાળકોના શારીરિક વિકાસ સાથે બૌદ્ધિક વિકાસ પણ મહત્વનો બન્યો છે. બાળકોની બૌદ્ધિક શક્તિ વધુ વિકસિત હશે તો તે સારી પ્રગતિ કરી શકશે.એટલે જ જો નાનપણથી જ આ વસ્તુઓને બાળકોને આપવામાં આવે તો તે અભ્યાસમાં તેજ થશે.

બાળકોનું મગજ કોમ્પ્યુટર જેવું તેજ બનાવવા માટે વધુ મોંઘી દવા કે સપ્લિમેન્ટસ લેવાની જરૂર નથી.આપણા ઘરના રસોડામાં જ મગજની શક્તિ વધારતી શ્રેષ્ઠ વસ્તુઓ છે. તમે મોંઘી દવાઓ અને કોચિંગ કલાસની મદદ વગર બાળકોને નાનપણથી જ આ વસ્તુઓ આપશો તો અન્ય બાળકો કરતાં તેઓ અભ્યાસમાં વધુ તેજસ્વી બનશે. આપણું પરંપરાગત ભારતીય રસોડું ફક્ત સ્વાદ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે એક પ્રકારનું દવાખાનું પણ છે. તેમાં છુપાયેલા મસાલાઓમાં એટલી શક્તિ છે કે તે ફક્ત શરીરને જ નહીં પરંતુ મનને પણ સક્રિય અને સ્વસ્થ રાખી શકે છે.

ઘરના રસોડાની આ વસ્તુ આપશે લાભ

ઘરના રસોડામાં રહેલા ઘી અને લવિંગ આયુર્વેદમાં શક્તિશાળી માનવામાં આવે છે. જ્યારે તેનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે છે, ત્યારે તે માનસિક સ્વાસ્થ્ય સુધારવામાં અને ઘણી ગંભીર બીમારીઓને રોકવામાં મદદ કરી શકે છે. લવિંગમાં રહેલા એન્ટીઑકિસડન્ટ મગજના જ્ઞાનતંતુઓને મજબૂત બનાવે છે. તે જ સમયે, દેશી ઘી ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે, જે ન્યુરોન્સના કાર્યમાં સુધારો કરે છે. જ્યારે આ બંનેનું એકસાથે સેવન કરવામાં આવે છે, ત્યારે તે ધ્યાન, યાદશક્તિ અને નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો કરે છે.

તણાવ અને ચિંતામાંથી રાહત :

ઘી અને લવિંગનું મિશ્રણ મનને શાંત કરે છે. તે તણાવ હોર્મોન્સની અસર ઘટાડે છે અને મૂડને સ્થિર રાખવામાં મદદ કરે છે. નિયમિત સેવનથી ઊંઘ પણ સારી થાય છે, જે માનસિક તાજગી જાળવવામાં મદદ કરે છે.

પાચનતંત્રમાં સુધારો કરશે :

જ્યારે પાચન યોગ્ય હોય છે, ત્યારે જ મગજ યોગ્ય રીતે કાર્ય કરે છે. લવિંગ પેટના ગેસ, અપચો અને એસિડિટીમાં રાહત આપે છે, જ્યારે ઘી આંતરડાને લુબ્રિકેટ કરે છે અને પાચનને સરળ બનાવે છે. તે આંતરિક પ્રણાલીઓને સ્વચ્છ અને સક્રિય રાખે છે, જેનાથી મન હળવા અને કેન્દ્રિત લાગે છે.

રોગપ્રતિકારક શક્તિ માટે ફાયદાકારક : લવિંગ એન્ટિવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ છે. ઘી શરીરના રોગપ્રતિકારક કોષોને મજબૂત બનાવે છે. આ મિશ્રણ બદલાતા હવામાન દરમિયાન શરદી, ગળામાં દુખાવો અને ચેપથી પણ રક્ષણ આપે છે. જે ઘણીવાર માનસિક થાકનું કારણ બને છે.

કેવી રીતે કરવું સેવન

બાળકોની યાદશક્તિ તેજ કરવા નિયમિત ઘી અને લવિંગના સેવનની લાભ થશે. આ માટે તમે તેમને એક ચમચી દેશી ઘીમાં એક ચપટી પીસેલી લવિંગ મિક્સ કરો. તમે તેને સવારે ખાલી પેટે અથવા રાત્રે સૂતા પહેલા ખાઈ શકો છો. જો તમે ઈચ્છો તો, તેને હુંફાળા દૂધ સાથે પણ આપી શકો છો. આજના સ્પર્ધાત્મક સમયમાં બાળકો અભ્યાસમાં તેજસ્વી બને તે એક પડકાર છે. પરંતુ જો તેમના તમારા આહારમાં થોડો ફેરફાર કરી ઘી અને લવિંગના આ સરળ મિશ્રણને આપશો, તો તેઓ માત્ર માનસિક રીતે મજબૂત બનશે નહીં પરંતુ તેમને અનેક શારીરિક સમસ્યાઓમાં પણ રાહત મળશે.

Leave a Reply

Related Post