Tips: ઉનાળામાં ફળોના રાજા કેરીનું કરો સેવન, અનેક ફાયદા

Tips: ઉનાળામાં ફળોના રાજા કેરીનું કરો સેવન, અનેક ફાયદા
Email :

કેરીમાં ઘણા વિટામિન હોય છે. જેમ કે વિટામિન A, C અને K તેમજ પોટેશિયમ, બીટા-કેરોટીન, ફોલેટ અને મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન, સેલેનિયમ, ફોસ્ફરસ અને મેંગેનીઝનો સમાવેશ થાય છે. આ બધા પોષક તત્વો તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે, જે તમને વારંવાર બીમાર પડતા અટકાવે છે.

ઉનાળા વિશે વાત કરીએ અને કેરીનો ઉલ્લેખ ન કરીએ એવું તો બને? કેરી તો ફળોનો રાજા છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આખી દુનિયામાં કેરીના 1000 થી વધુ પ્રકારો છે. કેરી સ્વાદિષ્ટ હોવા ઉપરાંત, કેરી પોષક તત્વોથી  ભરપૂર હોય  છે.

પાચન સુધારે છે

કેરીમાં વિટામિન A, C અને K ની સાથે ડાયેટરી ફાઇબર પણ હોય છે જે પાચનમાં મદદ કરે છે. ડાયેટરી ફાઇબર સ્વસ્થ પાચનતંત્ર જાળવવામાં મદદ કરે છે. અને આંતરડાની ગતિને સરળ બનાવે છે, જેનાથી કબજિયાત અને પાચન સમસ્યાઓ અટકાવવામાં મદદ મળે છે. વિટામિન A, C અને K તમારા આંતરડાના સ્વાસ્થ્યને પણ સુધારે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

કેરીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે. તે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. અને તમને વારંવાર બીમાર થવાથી બચાવે છે.

કેરી ત્વચા માટે ફાયદાકારક છે

તેમાં વિટામિન સી અને એ બંને હોવાથી, તેનું સેવન તમારી ત્વચાને લાંબા સમય સુધી યુવાન રાખવામાં પણ મદદ કરે છે. કેરીમાં રહેલું વિટામિન A નવા કોષો બનાવવા અને ત્વચાને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. વિટામિન સી શરીરને મુક્ત રેડિકલથી થતા નુકસાનથી રક્ષણ આપે છે જે વૃદ્ધત્વને વેગ આપવા માટે જવાબદાર છે.

Disclaimer: આ માહિતિ માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.

Leave a Reply

Related Post