Tips: સ્વાસ્થ્ય સમસ્યામાં ઉપયોગી ધાણા અને વરિયાળીનું પાણી, જાણો લાભ

Tips: સ્વાસ્થ્ય સમસ્યામાં ઉપયોગી ધાણા અને વરિયાળીનું પાણી, જાણો લાભ
Email :

આપણા ઘરના રસોડામાં જ શરદી અને ઉધરસ જેવી સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાના ઉપચાર છુપાયેલા છે. અત્યારે લોકો કોઈપણ નાની તકલીફ થાય કે તરત ડોક્ટર પાસે દોડી જાય છે અને એન્ટીબાયોટિક દવાની મદદ લે છે. આ દવાઓ લાંબા ગાળે શરીરને નુકસાન કરે છે. આપણા દાદી-નાનીના નુસખાઓ કહો કે પછી આપણી પરંપરાગત આયુર્વેદની દવા. આ ઘરેલુ ઉપચાર કરી આપણે સ્વાસ્થ્ય સમસ્યા દૂર કરી શકીએ છીએ.

ઘરના રસોડામાં રહેતા આ મસાલા અનેક બીમારીમાં ઉપયોગી સાબિત થયા છે. ધાણાનો ગરમ મસાલામાં ઉપયોગ થાય છે જ્યારે વરિયાળીનો મુખવાસ તરીકે ઉપયોગમાં લઈએ છીએ. ધાણા અને વરિયાળીનો ઉપયોગ આયુર્વેદમાં અનેક રોગોની સારવાર માટે કરવામાં આવે છે. ચાલો જાણીએ ધાણા અને વરિયાળીના પાણીના સેવનથી શું લાભ થાય છે.

ધાણા અને વરિયાળીનું પાણી પીવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. વાસ્તવમાં, વરિયાળી અને ધાણામાં રહેલા ગુણો પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે. સવારે ખાલી પેટે નિયમિતપણે તેનું સેવન કરવાથી કબજિયાત, ગેસ, અપચો અને એસિડિટી જેવી પાચન સમસ્યાઓમાં રાહત મળે છે.  
વજન ઘટાડવા માગતા લોકોએ સવારે ધાણા અને વરિયાળીના પાણીનું સેવન કરવું જોઈએ. આ પાણીના સેવનથી શરીરમાં જમા થયેલી ગંદકી અને ઝેરી તત્વો દૂર થાય છે અને શરીરને ડિટોક્સ કરવામાં મદદરૂપ બને છે. શરીરમાં રહેલ વધારાનું ફેટ દૂર કરવા નિયમિત આ પાણીનું ખાલીપેટે સેવન કરો. થોડા જ દિવસમાં તમને લાભ દેખાશે.
ડાયાબિટીસના દર્દીઓ બ્લડ શુગર લેવલ નિયત્રિંત કરવા ધાણા અને વરિયાળીના પાણીનું સેવન કરી શકે છે. તેના સેવનથી શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન પણ સુધરે છે. ધાણા અને વરિયાળીનો મુખવાસ બનાવી જમ્યાના થોડા કલાક પહેલા અને જમ્યા બાદ પણ લઈ શકો છો. આમ, કરવાથી ડાયાબિટીસના દર્દી સંતુલિત પ્રમાણમાં આહાર લઈ શકશે અને દવાના કારણે તેમના પેટમાં થતી બળતરા પણ શાંત થશે.
ધાણા અને વરિયાળીનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. વાસ્તવમાં, તેમાં એન્ટીઑકિસડન્ટ, એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેના સેવનથી શરદી અને અન્ય ચેપથી બચી શકાય છે.

આ રીતે ધાણા અને વરિયાળીનું પાણી ઉપયોગમાં લો

ધાણા અને વરિયાળી બંને મસાલામાં પુષ્કળ પ્રમાણમાં ઔષધીય ગુણો છે,એટલે તે શરીરની અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે. સવારે ખાલી પેટે આ પાણીનું સેવન કરવાથી અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે. ધાણા અને વરિયાળીનું પાણી બનાવવા માટે સૌપ્રથમ એક વાસણમાં પાણી ગરમ કરો. આ પાણીમાં એક ચમચી ધાણા અને એક ચમચી વરિયાળી ઉમેરીને તેને ઉકાળો. આ પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળો. ત્યારબાદ આ પાણીને એક કપમાં ગાળો અને હૂંફાળું થાય ત્યારે તેનું સેવન કરો.

Leave a Reply

Related Post