Tips : વધતી ઉમંરમાં ચહેરા પરનો Charm ગાયબ,તો દરરોજ કરો આ યોગાસન

Tips : વધતી ઉમંરમાં ચહેરા પરનો Charm ગાયબ,તો દરરોજ કરો આ યોગાસન
Email :

મહિલાઓમાં અનેક વખત જોવા મળે છે કે ઉમંર વધવાની સાથે તેમના ચહેરો પરનો ચાર્મ પણ દૂર થવા લાગે છે. વધતી ઉમંર સાથે તેમના ચહેરા પરથી સુંદરતા ગાયબ થવા લાગે છે. હંમેશા પોતાના પરિવાર માટે ખડેપગે રહેતી મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય અને સૌંદર્ય પર પૂરતું ધ્યાન આપતી નથી. મહિલાઓ જીમનો ખર્ચ કર્યા વગર અને બ્યુટી પાર્લરની મદદ લીધા વગર પોતાની ચહેરા પરની ચમક જાળવી શકે છે. પરંતુ હા એ જરૂર છે કે ચહેરા પરની સુંદરતા જાળવી રાખવા મહિલાઓ ઘરે રહી થોડો સમય કાઢવો પડશે. મહિલાઓ યોગાસન કરી વધતી ઉમંરમાં ચહેરા પરનું નિસ્તેજપણું દૂર કરી શકશે.

અમે તમને એવા યોગાસનો બતાવીશું જેની મદદથી મારો ચહેરો યુવાન અને ચમકતો રહેશે.

સિંહાસન (સિંહ મુદ્રા) : આ આસન ચહેરાના સ્નાયુઓને ટોન કરે છે. કરચલીઓ ઘટાડે છે અને રક્ત પરિભ્રમણ વધારે છે. આ આસન કરવા માટે તમારે ઘૂંટણ પર બેસવું પડતો હોય છે અને ત્યાર પછી મોં ખોલી જીભ બહાર કાઢી સિંહ ગર્જના કરે તેમ મોટે અવાજ કાઢવો. જે લોકોને ઘૂંટણની સમસ્યા હોય તેઓ ખુરશીમાં બેસીને આ આસન કરવાનો પ્રયત્ન કરી શકે છે. મોટેથી બોલવાથી મોંના સ્નાયુઓ ખેંચાશે અને તમારા ચહેરા પર રહેલું ઢીલાપણુ દૂર થશે.

ભ્રામરી પ્રાણાયામ : તે માનસિક તાણથી રાહત આપે છે, જેની ત્વચા પર સકારાત્મક અસર પડે છે. ચહેરો ચમકે છે અને વૃદ્ધત્વના સંકેતો ધીમા પડે છે. આ યોગાસનથી ગરદન અને ચહેરાના સ્નાયુઓને ખેંચાય છે અને ત્વચા કડક બને છે. ત્વચા ટાઈટ થવાના કારણે ચહેરા પર જોવા મળતી કરચલી દૂર થશે અને ચહેરો યુવાન રહેશે. ભ્રામરી પ્રાણાયામ કરવાથી માનસિક રાહત મળે છે. અને માનસિક રાહત મળતાં જ ત્વચા પર તેની અસર દેખાય છે.

હલાસન : મહિલા આ આસન કરશે તો તેમના શરીરમાં રક્ત પરિભ્રમણમાં વધુ ગતિ સાથે સંચાર થશે. ત્વચા તેજસ્વી બને છે અને આંખો નીચે કાળા કુંડાળા ઓછા થાય છે. હલાસન એન્ડોક્રાઇન ગ્રંથિઓ પર અસર કરે છે, જે હોર્મોન બેલેન્સ માટે મહત્વપૂર્ણ છે. હલાસનથી આંતરડાં સક્રિય થાય છે અને પાચન પ્રક્રિયા સુધરે છે. ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓ પણ દૂર થાય છે.

સર્વાંગાસન : સર્વાંગઆસનને "ગ્લો પોઝ" પણ કહેવામાં આવે છે કારણ કે તે ચહેરા તરફ લોહીનો પ્રવાહ વધારે છે. આ આસન કરવાથી ત્વચા વધુ ચમકદાર થાય છે અને તમે કોલેજીયન યુવતની જેમ સુંદર દેખાવો છો. સર્વાંગાસન કરવાથી હોર્મોન્સનું સ્રાવ સુધરે છે. આ આસનનો નિયમિત અભ્યાસ કરવાથી થાઇરોઇડની અશરથી થતી વજનવૃદ્ધિ અને થકાવટ જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. તેમજ માસિક ધર્મ સંબંધિત સમસ્યાઓમાં પણ રાહત મળે છે.

Related Post