Tips: કેરીનું અથાણું સ્ટોર કરવા Master Chefની સલાહ જરૂર કામ લાગશે

Tips: કેરીનું અથાણું સ્ટોર કરવા Master Chefની સલાહ જરૂર કામ લાગશે
Email :

કેરીના પ્રેમીઓ ઉનાળાની ઋતુની આતુરતાથી રાહ જોતા હોય છે. કેરીમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનતી હોય છે. ગરમીના દિવસોમાં જ્યારે પરિવારના લોકોના સ્વાદિષ્ટ ભોજનની વાત આવે ત્યારે મહિલાઓ તેના વિકલ્પ તરીકે કેરીના અથાણાંને તેમના ભોજનની ડિશામાં સામેલ કરવાનું પસંદ કરે છે. કેરીનું અથાણું ભોજનનો સ્વાદ બમણો તો કરે છે સાથે-સાથે સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. ગુજરાતના મોટાભાગના ઘરોમાં કેરીનું અથાણું થેપલાં, પરોઠા અને ભાખરી સાથે લેવામાં આવે છે. ખાસ કરીને પ્રવાસમાં થેપલા સાથે કેરીનું અથાણું ખાવાનો આનંદ અનેરો હોય છે.

જો તમે કેરીનું અથાણું સ્ટોર કરવા માગતા હોય તો કેટલીક બાબતોનું અવશ્ય ધ્યાન રાખો. કેરીના અથાણાને બગડતુ અટકાવવા માટે અમે તમને આ ખાસ ટિપ્સ શેર કરીએ છીએ.

સૌ પ્રથમ, તમે અથાણા માટે જે કેરી પસંદ કરી રહ્યા છો તે અથાણું બનાવવા માટે યોગ્ય છે કે નહીં તે ઓળખવા માટે, કેરીને તેના થડ પર હળવાશથી દબાવવાનો પ્રયાસ કરો. જો આ ભાગ પલ્પી લાગે, તો ફક્ત તે કેરીઓનું અથાણું બનાવો. જે કેરીઓ ખૂબ નરમ કે થડ પર ખૂબ કઠણ હોય તેનું અથાણું ન બનાવો.

કાચી કેરીનુ અથાણું બનાવતા પહેલા તેને ધોઈને સંપૂર્ણપણે સૂકવી લેવી જોઈએ. ખાસ કરીને તેના ટુકડા કરતા પહેલા ધ્યાન રાખો કે તેમાં જરાય પાણી ના રહે. કારણ કે જો પાણી રહેશે તો અથાણું બગડી શકે છે.

તમે જે વાસણમાં અથાણું સ્ટોર કરવાના હોય તો તે વાસણ અથવા તો કાચની બોટલને પાણીથી ધોઈ બરાબર સ્વચ્છ કરો અને તેને તડકામાં મૂકી સૂકવો. જેથી વાસણમાં પણ કોઈપણ જાતનું પાણી રહી ના જાય.

હંમેશા અથાણું કાચની બરણી અને ચિનાઈ માટીના વાસણ એવા છે તેમાં જ સ્ટોર કરવું. લોખંડ અથવા એલ્યુમિનિયમના વાસણમાં કયારેપણ અથાણું સ્ટોર ના કરવું.

અથાણું બનાવવો ત્યારે ધ્યાન રાખો કે તેમાં સામગ્રી અને માપ મુજબ પુરતા પ્રમાણમાં તેલનો ઉપયોગ કરો જેથી કેરી અને મસાલો તેલની અંદર પૂરતા પ્રમાણમાં મિશ્રણ થાય. એક રીતે કહી શકાય કે તેલ એ પ્રાકૃતિક પ્રિઝર્વેટિવ છે.

અથાણું તૈયાર થયા પછી 2–3 દિવસ સુધી તડકામાં રાખો. અથાણાને તમે સ્ટોર કરો ત્યારબાદ રોજ એકવાર સ્વચ્છ ડ્રાય ચમચાથી હલાવવો. કયારેય પણ ભીની ચમચીથી અથાણું લેશો તો ફૂગ વળવાની સંભાવના વધે છે.

અથાણાને જ્યારે પણ સ્ટોર કરો ત્યારે ઠંડકવાળા અને અંધારિયાળ સ્થાન પર રાખો. એકવાર તડકામાં રાખ્યા પછી, અથાણું ઠંડકવાળા અને શુષ્ક જગ્યાએ સ્ટોર કરો. અથાણાને તમે ફ્રિજમાં પણ સ્ટોર કરી શકો છો. પરંતુ હા એ યાદ રાખો કે જ્યારે અથાણું ફ્રિજમાં મૂકો ત્યારપછી ઉપયોગમાં લીધા બાદ ફરી પાછું ફ્રિજમાં જ મૂકવું. એકવાર ફ્રિજમાં મૂકયા બાદ પછી બહાર રાખશો તો અથાણુ બગડવાની સંભાવના વધે છે.

અથાણું જે બરણીમાં સ્ટોર કરો તેમાં હવા ન જઈ શકે એવી ટાઈટ ડાંકણ વાળી બોટલમાં જ રાખો. એકવાર અથાણું તૈયાર થઈ જાય, પછી તેને સ્વચ્છ અને સૂકા કાચના જાર, સિરામિક જાર અથવા ચુસ્ત સ્ટેનલેસ સ્ટીલના જારમાં સંગ્રહિત કરો. આ રીતે તમે અથાણાને બગડતા બચાવી શકો છો.

Leave a Reply

Related Post