Tips : ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી થાય છે સ્વાસ્થ્ય લાભ, જાણો..

Tips : ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી થાય છે સ્વાસ્થ્ય લાભ, જાણો..
Email :

આજે વાહનના જમાનામાં લોકોને ચાલવાનું ગમતું નથી. જયારે વધારે ચાલવાનું આવે ત્યારે અનેક લોકોને શ્વાસ ચઢવા લાગે છે તો કેટલાક લોકો ચકકર ખાઈ પડી જાય છે. જો કે કોરોના બાદ લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃકતા આવી છે અને લોકો ચાલવાની કસરત અને યોગ કરવા લાગ્યા છે. ચાલવું એક સારી કસરત છે પરંતુ જો ઘાસ પર ખુલ્લા પગે ચાલવામાં આવે તો અનેક લાભ થાય છે.

ઘાસ પર ખુલ્લા પગેલ ચાલવુંએ એક પ્રાચીન અને કુદરતી ઉપચાર પદ્ધતિ છે, જેને આજકાલ “અર્થિંગ” અથવા “એરથ થેરપી” તરીકે ઓળખવામાં આવે છે. આ સાવ સામાન્ય લાગતું કાર્ય શરીર અને મન માટે અનેક ફાયદાઓ આપી શકે છે. અમે તમને ઘાસ પર ખુલ્લા પગે ચાલવાના ફાયદા જણાવીએ છીએ. આ આર્ટીકલ વાંચ્યા બાદ તમે ચોક્કસ પોતાના આસપાસના બગીચા અને ઘરની લોન પર જરૂરથી ખુલ્લા પગે ચાલવાનું શરૂ કરશો.

ઘાસ પર ચાલવાથી થતાં મુખ્ય ફાયદા:

આંખોની જાળવણીમાં મદદરૂપ: પગના તળિયે નજરના સંતુલન સાથે જોડાયેલા "acupressure points" હોય છે. નરમ ઘાસ પર ચાલવાથી આ પોઇન્ટ દબાઈને આંખોની તાકાત વધે છે.

શાંતિનો અનુભવ: હરિયાળી ઘાસ પર પગ મૂકવાથી મન શાંત થાય છે, તણાવ અને ચિંતામાં ઘટાડો થાય છે.

શરીરમાં ઈલેક્ટ્રોનિક તણાવ ઘટાડે છે: ધરતી સાથે સીધો સંપર્ક થવાથી શરીરમાંથી ઈલેક્ટ્રોમેગ્નેટિક તણાવ (EMF) નીકળી જાય છે, જે આરોગ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

રકતસંચાર (blood circulation)માં સુધારો : નરમ, ઠંડી ઘાસ પર ચાલવાથી પગની નસો સક્રિય થાય છે અને રક્તપ્રવાહ સુધરે છે.

પાચનતંત્ર માટે લાભદાયક: નિખાલસ પગે ચાલવાથી પગના કેટલીક પોઈન્ટ્સ દબાય છે જે પાચનશક્તિ વધારવામાં સહાયક બને છે.

મગજની કાર્યક્ષમતા વધે છે: સવારની હવા અને પ્રકાશનો સંપર્ક મગજ માટે તાજગીદાયક હોય છે, અને એકાગ્રતા વધે છે.

આપણા આયુર્વેદમાં પણ કહેવામાં આવ્યું છે કે ઘાસમાં ખુલ્લા પગે ચાલવાથી પગના તળિયા દ્વારા આખા શરીરને સ્વસ્થ બનાવવામાં આવે છે. મગજ, હૃદય, લીવર અને કિડની જેવા શરીરના ઘણા કાર્યોમાં સુધારો થાય છે અને તે કેન્સર જેવા રોગોમાં પણ રાહત આપે છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી તમે ધરતીને સ્પર્શ કરો છો અને તમારા શરીરમાં વધુ ઉર્જાનો સંચારનો અનુભવ કરો છો. ખુલ્લા પગે ચાલો ત્યારે યાદ રાખો કે તમે કોઈ સંગીત સાંભળો જેથી કરીને તમારા મનમાં કોઈ નકારાત્મક વિચારો ના આવતે અને તમે ચાલવાનો આનંદ માણી શકો છો. જ્યારે પોતાનું મનપસંદ ગીતસંગીત સાંભળીએ ત્યારે આપણા શરીરમાં વધુ સકારાત્મક આવેગ ઉત્પન થાય છે અને તેના કારણે આપણે વધુ ઉર્જાનો અનુભવ કરીએ છીએ.

ઘાસ પર ચાલવામાં રાખો સાવચેતી:

ઘાસ પર ચાલવું સ્વાસ્થય માટે જરૂરી છે પરંતુ ચાલતા પહેલા કેટલીક સાવધાની રાખવી જરૂરી છે. તમે ઘાસ પર ચાલતા પહેલા ખાતરી કરો કે ત્યાં કાંટા, કાચનાં તુકડા કે અન્ય નુકસાનદાયક વસ્તુઓ તો નથી. કારણ કે કેટલીક વખત રાત્રે ઘાસ પર ચાલો ત્યારે અંધારામાં આવી નાની વસ્તુઓ દેખાતી નથી અને તમે ખુલ્લા પગે ચાલો ત્યારે આ વસ્તુ પગમાં વાગવાથી વધુ ખરાબ સ્થિતિનો સામનો કરવો પડે છે. અને એટલે જ સવારના સમયે ધાસ પર ચાલવું વધુ સારુ મનાય છે. દરરોજ સવારે 15–20 મિનિટ ખુલ્લા પગે ઘાસ પર ચાલવું ઉત્તમ કુદરતી ઉપચાર પદ્ધતિ બની શકે છે

Leave a Reply

Related Post