Tips : ગરમીમાં મહિલાઓમાં કેમ પગમાં વાઢિયાની સમસ્યા, દાદીના નુસખા આપશે લાભ

Tips : ગરમીમાં મહિલાઓમાં કેમ પગમાં વાઢિયાની સમસ્યા, દાદીના નુસખા આપશે લાભ
Email :

મહિલાઓમાં પગની એડીમાં ચીરા (તિરાડ-વાઢિયા) પડવાની સમસ્યા વધારે જોવા મળે છે. મહિલાઓ ગરમીમાં ચહેરાની સુંદરતાનું ધ્યાન રાખવામાં પગની કાળજી રાખવાનું ભૂલી જાય છે. ગરમીમાં ઠંડક મળે માટે મહિલાઓ પાણીના કામ વધુ કરે છે. જેના કારણે પગની એડીમાં તિરાડ જોવા મળે છે. આ સમસ્યાને સામાન્યમાની મહિલાઓ વધુ ઉપચાર કરવાનું ટાળે છે. પરંતુ જ્યારે કેટલાક કિસ્સામાં તેમાંથી લોહી નીકળવા લાગે છે ત્યારે જ તેના તરફ ધ્યાન આપે છે. પગમાં પડતા ચીરાને દેશી ભાષામાં વાઢિયા પણ કહે છે.

મહિલાઓના પગમાં ચીરાની સમસ્યા વધી

ઉનાળાની ગરમીમાં કેમ મહિલાઓના પગમાં ચીરા પડે છે તેને લઈને એક સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં સામે આવ્યું કે આ દિવસોમાં વધુ તાપ લાગવાના કારણે મહિલાઓ પગમાં ખુલ્લા સેન્ડલ અને ચપ્પલ પહેરે છે. જેના કારણે પગના તળિયા ગરમ પવનના સીધા સંપર્કમાં આવે છે. વારંવાર ગરમ પવનના સંપર્કમાં આવવાના કારણે મહિલાઓમાં ગરમીના સમયમાં ચીરા (વાઢિયા)ની સમસ્યા જોવા મળે છે. આ સમસ્યાનો તમે ઘરે ઉપચાર કરી શકો છો.

મહિલાઓ આ સામાન્ય સમસ્યાનો બ્યુટિ પાર્લરમાં ગયા વગર દાદીના નુસખા અજમાવી ઘરે ઉપચાર કરી શકે છે. આ છે પગની એડીમાં પડતા ચીરા (વાઢિયા) દૂર કરવાનો અસરકારક ઘરેલું ઉપચાર.

નાળિયેર તેલ અને કપૂર

નાળિયેરનું તેલ ફક્ત માથામાં લગાવવાના ઉપયોગ સિવાય અનેક રીતે લાભકારક છે. નાળિયેર તેલની સાથે કપૂરનું મિશ્રણ કરી પગે જે સ્થાન પર ચીરા પડયા છે લગાવવાથી જરૂર લાભ થશે. આ મિશ્રણ બળતરાને શાંત કરશે અને પગમાં વધુ ચીરા (વાઢિયા) પડતા પણ અટકાવશે. આ મિશ્રણ પગ પર લગાવવાથી ચીરામાં રાહત મળવા સાથે ત્વચા સ્વસ્થ બને છે. એટલે સારું પરિણામ મેળવવા રાત્રે સૂતા પહેલા આ મિશ્રણ પગ પર લગાવો.

હુંફાળા પાણી અને લીંબુ

ગરમ પવનના સંપર્કમાં આવતા પગમાં ચીરા પડે છે છતાં પણ ગરમ પાણીનો ઉપયોગ ચીરામાં રાહત આપશે તેમ આર્યુવેદમાં પણ કહ્યું છે. તમે ગરમ પાણીમાં લીંબુના થોડા ટીપાં ભેળવવા સાથે મીઠું નાખો. અને આ પાણીમાં પગને થોડા સમય માટે પલાળી રાખો. આમ કરવાથી એડીઓની કઠણ ત્વચા નરમ બનશે. પાણીમાં પગ ડૂબાડો ત્યારે તમે સ્ક્રબ પણ કરી શકો છો. લીંબુનો રસ એક કુદરતી એન્ટિસેપ્ટિકનું કામ કરશે અને ત્વચા સ્વચ્છ બનશે. પગના ચીરા દૂર કરવા આ એક સારો ઉપચાર છે જેને તમે દરરોજ 15-20 મિનિટ સુધી કરશો તો જરૂર લાભ મળશે.

દેશી ઘી અથવા વેસેલિન

દેશી ઘી અનેક રોગોનું ઓસડિયું છે. તેમ પગના ચીરામાં પણ દેશી ઘી વધુ ફાયદાકારક સાબિત થયું છે. પગના ચીરા દૂર કરવા દેશી ઘી અથવા વેસેલિન લગાવો અને પછી મોજા પહેરી લો. આ ઉપચાર તમે રાત્રે જ કરવો પડશે. કારણ કે દિવસ દરમિયાન પગે ઘી લગાવ્યા બાદ હરવાફરવાથી ઘરની ફર્શ પર તેના ડાઘ પડશે. એટલે રાત્રે ઘી કે વેસેલિન લગાવ્યા મોજા પહેરી સૂઈ જતા આખી રાત એડીઓને પોષણ મળવાથી વધુ જલદી ચીરા દૂર થશે. ઘી અને વેસેલિન પગના ચીરા પર મોઇશ્ચરાઇઝરનું કામ કરશે.

એલોવેરા જેલ (કુવારપાઠું)

એલોવેરા જેલનો ફેસમાસ્ક તેમજ ફેસવોશમાં ઉપયોગ થાય છે. એલોવેરા જેલ કે જેને દેશીભાષામાં કુવારપાઠું કહે છે તેમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણધર્મો રહેલા છે. જેના કારણે પગના ચીરા પર એલોવેરા જેલ લગાવવાથી એડીઓને ચેપથી બચાવે છે અને તેને અંદરથી મટાડવામાં મદદ કરે છે. રાત્રે સૂતા પહેલા, એલોવેરા જેલને સારી રીતે લગાવો અને મોજાં પહેરો. તેના નિયમિત ઉપયોગથી, એડી નરમ, મુલાયમ અને સ્વસ્થ બને છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. 

Leave a Reply

Related Post