રાજકોટ, વડોદરા-સુરત એક સાથે દેશભક્તિના રંગે રંગાયું: 'ઓપરેશન સિંદૂર'ની સફળતાની ખુશીમાં તિરંગા યાત્રા યોજાઈ, દિવ્યાંગે કહ્યું-9 દિવસ યુદ્ધ ચાલ્યું હોત તો પાકિસ્તાન સાફ થઈ જાત

રાજકોટ, વડોદરા-સુરત એક સાથે દેશભક્તિના રંગે રંગાયું:'ઓપરેશન સિંદૂર'ની સફળતાની ખુશીમાં તિરંગા યાત્રા યોજાઈ, દિવ્યાંગે કહ્યું-9 દિવસ યુદ્ધ ચાલ્યું હોત તો પાકિસ્તાન સાફ થઈ જાત
Email :

ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની અભૂતપૂર્વ સફળતાની ઉજવણી કરવા આજે રાજકોટ, વડોદરા અને સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં તિરંગા યાત્રા બહુમાળી ભવન ચોકથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. જ્યારે વડોદરામાં આરાધના સિનેમા ગૃહથી શરૂ થયેલી તિરંગા યાત્રા

જુબેલીબાગ ખાતે સંપન્ન થઈ હતી. આ ઉપરાંત સુરતમાં ભાગળથી ચોક બજાર વિસ્તાર સુધી વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી. રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો, યુવાનો, વડીલો અને બાળકો સહિત તમામ વર્ગના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાજકોટમાં એક દિવ્યાંગ

વ્યક્તિએ કહ્યું હતું કે, 9 દિવસ યુદ્ધ ચાલ્યું હોત તો પાકિસ્તાન સાફ થઈ ગયું હોત. વડોદરામાં તિરંગા યાત્રા દરમિયાન લોકોએ ચહેરા પર ટ્રાય કલરનું ટેટું કરાવ્યું હતું. જ્યારે સુરતમાં તો રાષ્ટ્ર ધ્વજ સાથે બેથી ત્રણ કિમી સુધી લાંબી લોકોની હરોળ જોવા મળી હતી.

Leave a Reply

Related Post