Corona Virusથી બચવા માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સાથે પૌષ્ટિક આહારનું સેવન જરૂરી:

Corona Virusથી બચવા માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સાથે પૌષ્ટિક આહારનું સેવન જરૂરી
Email :

કોરોના મહામારી ફરી દુનિયામાં તબાહી મચાવી રહી છે. વર્ષ 2019 અને 2020માં અનેક લોકો કોરોના બીમારીની લપેટમાં આવ્યા. ફરી પાછો કોવિડનો નવો વેરિએન્ટ એશિયાના દેશોમાં ગંભીર સ્વરૂપ લઈ રહ્યો છે. દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 276 કેસ નોંધાયા છે અને 7 લોકોના કોરોનાથી મોત થયા છે. આવી સ્થિતિમાં કોવિડગાળા બાદ બેદરકાર બનેલા લોકો ફરી ફિટનેસને લઈને સભાન થયા છે.

લોકોને સતર્ક રહેવા અપીલ 

દેશમાં કોરોનાના એકટિવ કેસ સતત વધી રહ્યા છે. અત્યારે સ્થિતિ નિયંત્રણમાં હોવાથી લોકડાઉન જેવી સ્થિતિ લાગુ કરાઈ નથી. પરંતુ તંત્ર દ્વારા કોરોનાને લઈને લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. લોકોએ કોરોના વાયરસથી બચવા ફક્ત માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ જેવા નિયમોનું પાલન કરવા ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ વધવારવા પણ પ્રયાસ કરવો પડશે.

વાયરસથી બચવા રોગપ્રતિકારક શક્તિ વધારો

આરોગ્ય નિષ્ણાતના મતે કોવિડ વાયરસ મરતો નથી. પરંતુ આ વાયરસની ગંભીર અસરથી બચવા રોગપ્રતિકારક શક્તિ વધે તેવા પૌષ્ટિક આહારનું સેવન કરવું જોઈએ. વાયરસના શિકાર ના બનીએ માટે આપણે આ પૌષ્ટિક આહારને પોતાના ડાયટમાં સ્થાન આપવું જોઈએ. આ આહારના સેવનથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

પૌષ્ટિક આહારને સ્થાન આપો

શાકાહારી લોકોએ રોગપ્રતિકારક શક્તિ વધારવા પોતાના ડેઈલી ડાયટમાં આદુ, લીલા શાકભાજી, મખાના, સરગવો, સોયાબીન, મગ, બીટરૂટ, ખજૂર અને ડ્રાયફ્રૂટસ અને બધા પ્રકારના ખાટા ફળો જેમ કે નારંગી અને ખાટા ફળોથી ભરપૂર વીટામિન સી યુક્ત પીણાનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત માંસાહારી ખોરાક લેનાર પ્રોટીન સ્ત્રોત એવા ઈંડા અને સીફૂડનું સેવન કરવું જોઈએ. જો કે જે વિસ્તારમાં બર્ડ ફ્લૂ જેવી બીમારી હોય તેમણે સી-ફૂડનું સેવન ના કરવું.

આ વસ્તુ ના કરવી

નિષ્ણાતના મતે અત્યારે કોરોના વાયરસના કેસ વધ્યા છે તેવી સ્થિતિમાં સ્ટ્રીટ ફૂડ અને હોટલ રેસ્ટોરન્ટના ભોજન ઉપરાંત જંક ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડનું સેવન ટાળવું. આ ફૂડનું સેવન આરોગ્યને નુકસાન થાય છે અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. અત્યારે લોકોએ શક્ય બને ત્યાં સુધી ભીડવાળી જગ્યાઓથી દૂર રહેવું જોઈએ. અને જે લોકો ગંભીર બિમારીનો સામનો કરી રહ્યા છે તેમણે અવશ્ય માસ્ક પહેરવું જોઈએ.

કોરોના વાયરસથી બચવા રોગપ્રતિકારક શક્તિ વધારવા સાથે નિયમિત યોગ, હળવી કસરત અને પૌષ્ટિક આહાર સાથે પૂરતી ઉંઘ (8-9 કલાક) પણ જરૂરી છે. આ સિવાય માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવો અને સેનેટાઈઝર હાથ ધોવાનું ચાલુ રાખવું જોઈએ.

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.

Leave a Reply

Related Post