આજે ભૂપેન્દ્ર પટેલ વડોદરામાં રાત્રિ રોકાણ કરશે: આવતીકાલે CM 1156 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરશે

આજે ભૂપેન્દ્ર પટેલ વડોદરામાં રાત્રિ રોકાણ કરશે:આવતીકાલે CM 1156 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરશે
Email :

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાલે 2 મે, શુક્રવારે વડોદરા કોર્પોરેશન દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરીયમમાં યોજાયેલા ખાસ કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યાં કોર્પોરેશનના 1156 કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ અને શુભારંભ કરશે. તે પૂર્વે તેઓ મંગલ પાંડે બ્રિજ પાસે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરશે. તંત્ર દ્વારા મુખ્યમંત્રી વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી જોઇને ખૂશ થઇ જાય તે માટે નિરીક્ષણ સ્થળે કામગીરી કરવામાં આવી રહી છે. 94.27 કરોડના ખર્ચે થયેલા 24 કામોનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના

હસ્તે કરવામાં આવનાર વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો અંગેની માહિતી આપતા સ્થાયી સમિતિના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના હસ્તે રૂપિયા 94.27 કરોડના ખર્ચે થયેલા 24 કામોનું લોકાર્પણ અને રૂપિયા 801.64 કરોડના ખર્ચે થનારા 61 કામોનું ઇ ખાતમુહૂર્ત કરવામાં આવશે. વુડા સહિત કામોનું લોકાર્પણ કરવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યું હતું, લોકાર્પણ થનાર કામોમાં રૂપિયા 2 કરોડના ખર્ચે વરસાદી ગટર પ્રોજેક્ટ, રૂપિયા 63.09 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા 19 રોડ પ્રોજેક્ટના કામ, રૂપિયા

4.46 કરોડના ખર્ચે થયેલા મિકેનિકલ પ્રોજેક્ટના 2 કામ, રૂપિયા 6.48 કરોડના ખર્ચે કરવામાં આવેલા ફ્યુચરસ્ટીક પ્લાનીગનુ 1 કામ અને રૂપિયા 18.24 કરોડના ખર્ચે કરવામાં આવેલા એક વુડાના કામ સહિત કામોનું લોકાર્પણ કરવામાં આવશે. કુલ 61 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે જ્યારે રૂપિયા 155.48 કરોડના ખર્ચે કરવામાં આવનાર પાણી પુરવઠા વિભાગના 19 કામો, રૂપિયા 455.74 કરોડના ખર્ચે કરવામાં આવનાર ડ્રેનેજ પ્રોજેક્ટ શાખાના 10 કામો, રૂપિયા 70.18 કરોડના ખર્ચે કરવામાં આવનાર વરસાદી પ્રોજેક્ટ શાખાના 11 કામો, રૂપિયા 98.31

કરોડના ખર્ચે કરવામાં આવનાર રોડ શાખના 16 કામો, રૂપિયા 6.50 કરોડના ખર્ચે કરવામાં આવનાર બિલ્ડીંગ પ્રોજેક્ટ શાખાના 3 કામો, રૂપિયા 8.65 કરોડના ખર્ચે કરવામાં આવનાર બ્રિજ પ્રોજેક્ટ શાખાનું કામ, રૂપિયા 6.77 કરોડના ખર્ચે કરવામાં આવનાર ફ્યુચરસ્ટિક પ્લાનિંગનું એક કામ મળી કુલ 61 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરશે કોર્પોરેશનના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા પધારવાના હોવાથી કોર્પોરેશનનું તંત્ર કામે લાગી ગયું છે અને

કાર્યક્રમને લગતી તૈયારીઓ શરુ કરી દીધી છે. વડોદરા કોર્પોરેશન દ્વારા શરુ કરાયેલા વિશ્વામિત્રી પ્રોજેક્ટનું પણ તેઓ નિરીક્ષણ કરીને થયેલા કામોની માહિતી મેળવશે. આ માટે મુખ્યમંત્રી મંગલ પાંડે રોડ પર વિશ્વામિત્રી નદી પર ચાલી રહેલી વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીનું પણ નિરીક્ષણ કરશે. પાલિકા દ્વારા મુખ્યમંત્રીના રૂટને શણગારી દેવામાં આવ્યો મળેલી માહિતી પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાત્રે વડોદરા આવી જશે અને રાત્રિ રોકાણ સર્કિટ હાઉસમાં કરનાર છે. ત્યારે શહેર પોલીસ તંત્ર દ્વારા સર્કિટ હાઉસ ફરતે જડબેસલાક પોલીસ

બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો પાલિકા દ્વારા મુખ્યમંત્રીના રૂટને શણગારી દેવામાં આવ્યો છે. મોડી રાત્રે કોંગ્રેસ-આપના અગ્રણીઓને ડિટેઇન કરવાની શક્યતા એવી પણ માહિતી મળી છે કે, મુખ્યમંત્રીના કાર્યક્રમ સમયે કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરોધી પ્રદર્શન ન કરે તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી સહિતના અગ્રણીઓ ઉપર વોચ ગોઠવી દેવામાં આવી છે. સંભવતઃ મોડી રાત્રે કોંગ્રેસ અને આપના અગ્રણીઓને ડિટેઇન કરી લે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

Leave a Reply

Related Post