3 દિવસથી આકાશી આફત: કુલ 21નાં મોત, હજુ પણ રાજ્યમાં 11મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી

3 દિવસથી આકાશી આફત:કુલ 21નાં મોત, હજુ પણ રાજ્યમાં 11મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી
Email :

એકસાથે ત્રણ અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ટ્રફ લાઇનના કારણે રાજ્યમાં છેલ્લા 48 કલાકથી વાવાઝોડા સાથે વરસાદ થઇ રહ્યો છે. મંગળવાર રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 103 તાલુકામાં 1 મીમીથી લઇ પોણા 7 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. ભાવનગરના મહુવામાં સતત 6 કલાકમાં પોણા 7 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે અમરેલીના લાઠીમાં અઢી ઇંચ, સાવરકુડલામાં સવા 2

ઇંચ, લીલિયા અને અમેરલીમાં 2-2 ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે પવન અને કડાકા-ભડાકા સાથેના વરસાદના કારણે બે દિવસમાં 21 લોકોના મોત થયા છે. મધ્ય અને પૂર્વ ગુજરાતમાં 17ના મોત થયા છે, જ્યારે 20થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે તો ઉત્તર ગુજરાતમાં 3 વ્યક્તિ અને 45 પશુનાં મોત થયા છે. ગુજરાત પર અપર સિસ્ટમ હજુ સક્રીય રહેતાં વધુ

ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. ભાવનગર, અમરેલી, અમદાવાદ, આણંદ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. એ સિવાય રાજ્યના બાકી તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ અપાયું છે. આણંદ | તૈયાર અવસ્થામાં આવેલા બાજરી-ડાંગરના પાકને નુકસાન આણંદઃ ત્રણ સિસ્ટમથી દબાણ વધતાં લો પ્રેશર સિસ્ટમ સ્ટ્રોંગ બની ને વરસાદ તૂટી પડ્યો, આણંદ

પંથકમાં ખેડૂતો હાથમાં કોળિયા ઝુંટવાઇ ગયો, તૈયાર અવસ્થામાં આવેલા બાજરી અને ડાંગરના પાકને ભારે નુકશાન થયું. વડોદરા | બે ઇંચ વરસાદ ખાબકતાં તુલસીવાડીમાં ઘરોમાં પાણી ઘૂસ્યાં વડોદરાઃ વહેલી સવારે 4 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી 2 ઈંચ વરસાદ વરસ્યો, તુલસીવાડી પાસે ઘરોમાં પાણી ઘૂસ્યા. વરસાદની બે સિસ્ટમ સક્રિય થતા 11 મે સુધી વડોદરામાં વરસાદી માહોલ રહેવાની આગાહી. ભાવનગર | 2500

હેક્ટરમાં પાકેલી કેરીના આંબાને નુકસાન ભાવનગરઃ મહુવા 7 ઇંચ ખાબકેલા વરસાદથી વીજળી ગુલ થઇ ગઇ હતી. ઘોઘામાં બે ઇંચ, ગારિયાધાર અને પાલીતાણામાં એક એક ઈંચ કમોસમી વરસાદ પડ્યો, જિલ્લામાં 2500 હેક્ટર જેટલા વિસ્તારની આંબાવાડીઓ કેસર કેરીઓના આંબાને નુકસાન પહોંચ્યું છે. જેને પગલે કેસર કેરી માટે પ્રખ્યાત સોસિયા,જેસર સહિતના વિસ્તારોમાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. બજારમાં કેરીના ભાવ ઘટશે વરસાદને કારણે કેરી રસિકોને

ફાયદો થશે.કારણ કે એક સાથે બજારમાં બધી કેરીઓ આવી જાય તો કિંમત સસ્તી થઈ જશે.પરંતુ સિઝન લાંબા સમય સુધી ચાલશે નહીં. ખેડૂતો પાસેથી આંબા રાખનારા સિઝન શરૂ થાય તે પહેલા એક સાથે વાડી લઈ લેતા હોય છે અને છેક જૂન મહિનાના પ્રારંભ સુધી કટકે કટકે અંબાઓ વેડીને કમાતા હોય છે. પરંતુ અત્યારે નુકસાન થવાનું શરૂ થઈ ગયું છે.

Leave a Reply

Related Post