ટ્રમ્પે કહ્યું- પુતિન પાગલ થઈ ગયા છે: યુક્રેન પર હવાઈ હુમલા બાદ ટ્રમ્પે કહ્યું- હું તેમનાથી ખુશ નથી, કારણ વગર લોકોના જીવ લઈ રહ્યા છે

ટ્રમ્પે કહ્યું- પુતિન પાગલ થઈ ગયા છે:યુક્રેન પર હવાઈ હુમલા બાદ ટ્રમ્પે કહ્યું- હું તેમનાથી ખુશ નથી, કારણ વગર લોકોના જીવ લઈ રહ્યા છે
Email :

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે પુતિન સંપૂર્ણપણે પાગલ થઈ ગયા છે. ટ્રમ્પે આ નિવેદન તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કર્યું. ટ્રમ્પે લખ્યું- રશિયાના વ્લાદિમીર પુતિન સાથે મારા હંમેશાં ખૂબ સારા સંબંધો રહ્યા છે, પરંતુ તેમની સાથે કંઈક તો બન્યું છે. તેઓ પાગલ થઈ ગયા છે. ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે યુક્રેનમાં હવાઈ હુમલા બાબતે તેઓ પુતિનથી નારાજ છે. ખબર નથી પડતી કે પુતિનનું શું થયું

છે. અમે રશિયા પર વધુ પ્રતિબંધો લાદીશું. પુતિન કારણ વગર લોકોના જીવ લઈ રહ્યા છે. એક સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ રશિયા પર વધુ પ્રતિબંધો લાદશે. પુતિન ઘણા લોકોને મારી રહ્યા છે. ટ્રમ્પનું આ નિવેદન યુક્રેન પર રશિયાના સૌથી મોટા હવાઈ હુમલા બાદ આવ્યું છે. શનિવારે રાત્રે રશિયાએ યુક્રેન પર 3 વર્ષમાં સૌથી મોટો હુમલો કર્યો. યુક્રેનિયન વાયુસેના અનુસાર, રશિયાએ કિવ પર 367 હથિયારથી હુમલો કર્યો. એમાં 9

બેલિસ્ટિક મિસાઇલો, 60 ક્રૂઝ મિસાઇલો અને 298 ડ્રોનનો સમાવેશ થતો હતો. યુક્રેન પર રશિયાના હુમલાની 4 તસવીર... રશિયાનો આરોપ- યુક્રેન પુતિનની હત્યા કરવા માગતું હતું રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના હેલિકોપ્ટરને તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો. રશિયન વાયુસેનાના મેજર જનરલ યુરી ડેશકિનના જણાવ્યા અનુસાર, પુતિન 20 મેના રોજ કુર્સ્કની મુલાકાતે ગયા હતા. ડેશકિનને કહ્યું હતું કે આ દરમિયાન યુક્રેનિયન વાયુસેનાએ પુતિનના હેલિકોપ્ટર પર 46 ડ્રોનથી હુમલો

કર્યો હતો, પરંતુ અમે બધાં ડ્રોનને તોડી પાડ્યાં. અમે એકસાથે અનેક ડ્રોન સામે મુકાબલો કર્યો અને રાષ્ટ્રપતિના હેલિકોપ્ટરની સુરક્ષા સુનિશ્ચિત કરી. યુક્રેન પર કબજો કર્યા પછી પુતિન પહેલીવાર કુર્સ્કની મુલાકાતે ગયા કુર્સ્ક એ જ જગ્યા છે, જ્યાં ગયા વર્ષે ઓગસ્ટમાં યુક્રેનિયન સેનાએ અચાનક હુમલો કર્યો હતો અને 1,100 ચોરસ કિલોમીટરનો વિસ્તાર કબજે કર્યો હતો. આ હુમલો ખૂબ જ ખાસ હતો, કારણ કે બીજા વિશ્વયુદ્ધ પછી પહેલીવાર કોઈ વિદેશી સેનાએ રશિયન

ભૂમિ પર હુમલો કર્યો હતો. આ વિસ્તારની મુલાકાત લેતી વખતે પુતિને કહ્યું હતું કે હવે આ જમીન ફરીથી રશિયાના નિયંત્રણમાં છે. તેમણે અહીં લેન્ડમાઈન દૂર કરવા માટે વધુ સૈનિકો મોકલવાનો પણ આદેશ આપ્યો, જેથી લોકો તેમના ઘરે પાછા ફરી શકે, જોકે યુક્રેનનું કહેવું છે કે તેના સૈનિકો હજુ પણ આ વિસ્તારમાં હાજર છે અને લડાઈ ચાલુ છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે તેમની સેના કુર્સ્ક અને બેલ્ગોરોડ જેવા વિસ્તારોમાં

રશિયા વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. રશિયા-યુક્રેન વચ્ચે 614 કેદીઓની આપ-લે 24 મેના રોજ રશિયા અને યુક્રેને 307-307 કેદીની અદલાબદલી કરી. આ ત્રણ વર્ષ લાંબા યુદ્ધમાં સૌથી મોટા કેદી આપ-લેનો એક ભાગ છે. શનિવારે થયેલા આ અદલાબદલીની જાણ રશિયન સંરક્ષણ મંત્રાલય અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી દ્વારા ટેલિગ્રામ પર કરવામાં આવી હતી. ઝેલેન્સ્કીએ લખ્યું - આવતીકાલે વધુ મુક્તિની અપેક્ષા છે, અમારું લક્ષ્ય દરેક યુક્રેનિયનને રશિયન કેદમાંથી પાછા લાવવાનું છે. આ

પહેલાં 23 મેના રોજ બંને દેશે 390-390 કેદીને મુક્ત કર્યા હતા. ત્રણ દિવસમાં બંને પક્ષના એક હજાર કેદીને મુક્ત કરવાના છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે આ અદલાબદલી મોસ્કો અને કિવ વચ્ચે શાંતિ કરાર સુધી પહોંચવાના પ્રયાસોમાં એક નવો તબક્કો શરૂ કરી શકે છે. મુક્ત થયા પછીના 2 ફોટા 16 મેના રોજ ઇસ્તંબુલમાં રશિયા અને યુક્રેન વચ્ચે 4-મુદ્દાની વાટાઘાટો થઈ હતી રશિયા-યુક્રેન યુદ્ધ શા માટે શરૂ થયું એ

જાણો ફેબ્રુઆરી 2022- રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને હુમલાની જાહેરાત કરતાંની સાથે જ રશિયન ટેન્ક યુક્રેનમાં ઘૂસવા લાગી. ત્યાર બાદ યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે પુતિન સાથે વાત કરવાનો કોઈ પ્લાન નથી. તેઓ આખી દુનિયાને જોખમમાં ધકેલી દીધી છે. રશિયાને યુક્રેન પરના હુમલાની ગંભીર કિંમત ચૂકવવી પડશે. ફેબ્રુઆરી 2025- અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પુતિન સાથે 90 મિનિટ સુધી ફોન પર વાત કરી. આ પછી, યુક્રેન યુદ્ધ અંગે સાઉદી

અરેબિયામાં રશિયા અને અમેરિકા વચ્ચે હાઈ લેવલ બેઠક થઈ. આમાં યુક્રેનનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો. ટ્રમ્પે પુતિનની પ્રશંસા કરી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીને "સરમુખત્યાર" કહ્યા. મે 2025 - રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે શાંતિ વાટાઘાટો 2025માં વધુ તીવ્ર બની, ખાસ કરીને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પહેલ બાદ. હાલના સમયમાં કેદીઓની અદલાબદલી થઈ છે, પરંતુ પ્રાદેશિક નિયંત્રણ અને સુરક્ષા ગેરંટી અંગે મતભેદો હજુ પણ છે.

Leave a Reply

Related Post