ટ્રમ્પે તમામ દેશો પર ટેરિફ લગાવ્યા: કહ્યું-ભારત ટેરિફ લાદવામાં સૌથી મોખરે; ગેરકાયદે ભારતીયોને લઈને બીજી ફ્લાઇટ આવશે; આ વખતે કેટલા ગુજરાતીઓ હશે?

ટ્રમ્પે તમામ દેશો પર ટેરિફ લગાવ્યા:કહ્યું-ભારત ટેરિફ લાદવામાં સૌથી મોખરે; ગેરકાયદે ભારતીયોને લઈને બીજી ફ્લાઇટ આવશે; આ વખતે કેટલા ગુજરાતીઓ હશે?
Email :

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથે મુલાકાતના 2 કલાક પહેલા ભારત સહિત તમામ દેશો પર પારસ્પરિક ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. પારસ્પરિક ટેરિફનો અર્થ એ છે કે કોઈ દેશ અમેરિકન માલ પર ગમે તેટલો ટેરિફ લાદશે, અમેરિકા પણ તે દેશના માલ પર તેટલા જ ટેરિફ લાદશે. રોઇટર્સના અહેવાલ મુજબ, તેમણે ગુરુવારે રાત્રે (ભારતીય સમય મુજબ 12:30વાગ્યે) આ સંબંધિત નવી ટેરિફ નીતિ પર હસ્તાક્ષર કર્યા. ટ્રમ્પે હજુ સુધી આ ટેરિફ કયા દેશો પર લાદવામાં આવશે તેની માહિતી આપી નથી. જોકે, તેમણે કહ્યું છે કે જે પણ દેશો અમેરિકા પર ટેરિફ લાદે છે, અમેરિકા પણ તેમના પર એટલા જ ટેરિફ લાદશે. આવતીકાલે અમેરિકા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સની બીજી બેચ મોકલશે. હવે જોવાનું રહેશે કે આ વખતે કેટલાં ગેરકાયદે

ભારતીયો પાછા ફરશે અને એમાં કેટલાં ગુજરાતીઓ હશે. મોદી સાથે મુલાકાત પછી પણ ઇમિગ્રન્ટ્સને હાથકડી પહેરાવાશે? ટ્રમ્પે પ્રેસ બ્રીફિંગમાં ભારત પર ખૂબ ઊંચા ટેરિફ લાદવાનો આરોપ લગાવ્યો. તેણે કહ્યું- ટેરિફ લાદવામાં ભારત સૌથી ઉપર છે. કેટલાક નાના દેશો એવા છે જે તેનાથી પણ વધુ ઊંચા ટેરિફ લાદે છે, પરંતુ ભારતના ટેરિફ ખૂબ વધુ છે. ટ્રમ્પે આગળ કહ્યું, "મને યાદ છે જ્યારે હાર્લી ડેવિડસન ભારતમાં તેની મોટરબાઈક વેચી શકતી ન હતી કારણ કે ભારતમાં ટેક્સ ખૂબ ઊંચા હતા, ટેરિફ ખૂબ ઊંચા હતા, અને હાર્લીને ઉત્પાદન બંધ કરવાની ફરજ પડી હતી. મને લાગે છે કે ટેરિફથી બચવા માટે તેમને ભારતમાં ફેક્ટરી સ્થાપવી પડી હતી. અમે પણ એવું જ કરી શકીએ છીએ. ટેરિફથી બચવા માટે તેઓ અહીં ફેક્ટરી અથવા

પ્લાન્ટ સ્થાપી શકે છે." ટ્રમ્પે કહ્યું-100% ટેરિફ લાદતાની સાથે જ બ્રિક્સનો અંત આવશે ટ્રમ્પે ડોલરની જગ્યાએ કોઈ અન્ય કરન્સીના ઉપયોગ પર BRICS દેશોને 100% ટેરિફ લગાવવાની ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું- જે દિવસે આ દેશોએ આવું કર્યું, તેઓ તે દિવસે જ ટેરિફ ન લગાવવાની ભીખ માગશે. જે સમયે હું આવું કરીશ, BRICS ખતમ થઈ જશે. મસ્ક અને મોદીની મુલાકાત અંગે પણ વાત કરી પીએમ મોદી અને ઈલોન મસ્ક વચ્ચેની મુલાકાત અંગે ટ્રમ્પે કહ્યું કે તેમને લાગે છે કે મસ્ક ભારતમાં વ્યવસાય કરવા માગે છે, પરંતુ ટેરિફને કારણે ભારતમાં વ્યવસાય કરવો ખૂબ મુશ્કેલ છે. ત્યાંનો ટેરિફ ખૂબ ઊંચો છે. મને લાગે છે કે તે (મસ્ક) તેને એટલા માટે મળ્યો હતો કારણ કે તે એક કંપની ચલાવી રહ્યો છે. ટ્રમ્પના

નિવેદન વિશે 6 મહત્ત્વપૂર્ણ બાબતો... ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ટેરિફ લાદવાની માહિતી આપી હતી આ પહેલા ટ્રમ્પે ગુરુવારે સાંજે ટેરિફ લાદવાની માહિતી આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે આજે સૌથી મોટો દિવસ છે. તેમણે એમ પણ કહ્યું કે તેમના બીજા કાર્યકાળના પહેલા ત્રણ અઠવાડિયા શ્રેષ્ઠ રહ્યા. ટ્રમ્પે કહ્યું- ૩ અઠવાડિયા ખૂબ જ સુંદર રહ્યા. કદાચ અત્યાર સુધીનો શ્રેષ્ઠ દિવસ, પણ આજનો દિવસ સૌથી ખાસ હશે. અમેરિકા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સની બીજી બેચ મોકલશે દરમિયાન, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીએમ મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન, અમેરિકા બીજી ફ્લાઇટ દ્વારા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને પાછા મોકલી શકે છે. આ ફ્લાઇટ 15 ફેબ્રુઆરીએ અમૃતસર પહોંચવાની અપેક્ષા છે. હાલમાં આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. પહેલી ફ્લાઇટ 5ફેબ્રુઆરીના રોજ

આવી. આમાં, 104 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને ભારત મોકલવામાં આવ્યા હતા. હવે બીજી ફ્લાઇટમાં કેટલાં ઇમિગ્રન્ટ્સને હશે તે જાહેર કરવામાં આવ્યું નથી. જોકે, આ ફ્લાઇટમાં પણ કેટલાંક ગુજરાતીઓ હોવાની શક્યતા છે. શું ફરી હાથપગમાં હથડકી પહેરીને મોકલાશે? સૂત્રોનું માનીએ તો આ ફ્લાઈટમાં અમેરિકા દ્વારા મોકલવામાં આવનાર લગભગ 170 થી 180 ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને ભારત મોકલવામાં આવી રહ્યા છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. તે જ સમયે, દિલ્હી એરપોર્ટને બદલે અમૃતસર એરપોર્ટ પર અમેરિકા ઉતરતા ભારતીયોને દેશનિકાલ કરવામાં આવતી ફ્લાઇટ્સ પર ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ સાથે ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ સાથે કરવામાં આવી રહેલા વ્યવહારની પણ સર્વત્ર નિંદા થઈ રહી છે. પ્રથમ ફ્લાઇટમાં, દેશનિકાલ કરાયેલા ભારતીયોને તેમના હાથમાં હાથકડી અને પગમાં સાંકળો સાથે મોકલવામાં આવ્યા

હતા, જેના કારણે ભારતની સંસદમાં પણ હોબાળો થયો હતો. બીજી તરફ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમેરિકા પહોંચી ગયા છે. તેઓ આજે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ અને ગેરકાયદે ઈમિગ્રન્ટ્સના મુદ્દા પર ખુલીને ચર્ચા થઈ શકે છે. વિપક્ષી નેતાઓએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગેરકાયદેસર વસાહતીઓ સાથે વાત કરવાની અપીલ કરી હતી. જો ભારત પર પારસ્પરિક ટેરિફ લાદવામાં આવે તો નિકાસ પર શું અસર પડશે? જો અમેરિકા ભારત પર ટેરિફ વધારશે તો તેનાથી નુકસાન થશે. ભારત તેના ૧૭% થી વધુ વિદેશી વેપાર અમેરિકા સાથે કરે છે. અમેરિકા ભારતના ફળો અને શાકભાજી જેવા કૃષિ ઉત્પાદનોનો સૌથી મોટો ખરીદદાર છે. 2024માં, અમેરિકાએ ભારતમાંથી 1.8 કરોડ ટન ચોખાની આયાત પણ કરી છે.

જો અમેરિકા ભારત પર ટેરિફ લાદે છે, તો ભારતીય ઉત્પાદનો અમેરિકન બજારોમાં ઊંચા ભાવે વેચવાનું શરૂ કરશે. આનાથી અમેરિકન જનતામાં તેમની માંગ ઓછી થશે. અમેરિકાના ઉત્પાદનો પર સૌથી વધુ ટેરિફ લગાવનારા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. ભારત સૌથી વધુ ટેરિફ લાદનારા દેશોમાં સામેલ છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, 1990-91સુધી ભારતમાં સરેરાશ ટેરિફ 125% સુધીનો હતો. ઉદારીકરણ પછી, તેમાં ઘટાડો થવા લાગ્યો. 2024માં ભારતનો સરેરાશ ટેરિફ દર 11.66% હતો. ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ બન્યા પછી, ભારત સરકારે ટેરિફ દરોમાં ફેરફાર કર્યા. ધ હિન્દુના અહેવાલ મુજબ, ભારત સરકારે 150%, 125% અને 100% ના ટેરિફ દરો નાબૂદ કર્યા છે. હવે ભારતમાં સૌથી વધુ ટેરિફ દર 70% છે. ભારતમાં લક્ઝરી કાર પર 125% ટેરિફ હતો, જે હવે ઘટાડીને 70% કરવામાં આવ્યો

છે. આવી સ્થિતિમાં, ભારતનો સરેરાશ ટેરિફ દર 2025માં ઘટીને 10.65% થઈ ગયો છે. સામાન્ય રીતે બધા દેશો ટેરિફ લાદે છે. કેટલાક દેશોમાં તેનો દર ઓછો અને કેટલાકમાં વધારે હોઈ શકે છે. જોકે, અન્ય દેશોની તુલનામાં, ભારત સૌથી વધુ ટેરિફ લાદતા દેશોમાંનો એક છે. પીએમ મોદી બે દિવસના અમેરિકાના પ્રવાસે છે પીએમ મોદી બે દિવસના પ્રવાસે ગુરુવારે સવારે 4:30 વાગ્યે અમેરિકા પહોંચ્યા. તેમણે આજે યુએસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) માઇક વોલ્ટ્ઝ, ટેસ્લાના વડા એલોન મસ્ક અને ભારતીય મૂળના ઉદ્યોગપતિ વિવેક રામાસ્વામી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. આ પછી મોદી રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળશે. બંને વચ્ચે લગભગ 45 મિનિટ સુધી વાતચીત થશે. આ બેઠકમાં, બંને નેતાઓ ટેરિફ અને ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરશે. દ્વિપક્ષીય વાટાઘાટો પૂર્ણ

કર્યા પછી, મોદી ટ્રમ્પ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. તેમની અમેરિકા મુલાકાત દરમિયાન, પીએમ મોદી ઘણા ઉદ્યોગપતિઓ અને ભારતીય સમુદાયના લોકોને પણ મળશે. ટેરિફ અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર વાતચીત થઈ શકે છે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તામાં પાછા આવ્યા બાદ કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. જોકે, બાદમાં તેમણે કેનેડા અને મેક્સિકોને ટેરિફમાંથી 30 દિવસની રાહત આપી. ટ્રમ્પ વારંવાર ભારતના ઊંચા ટેરિફ દરોની ટીકા કરી ચૂક્યા છે. જોકે, અત્યાર સુધી તેમણે ભારત પર કોઈપણ પ્રકારનો ટેરિફ લાદ્યો નથી. પ્યુ રિસર્ચ અનુસાર, અમેરિકામાં 7 લાખ 25 હજારથી વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ભારતીયો રહે છે. ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE)એ નવેમ્બર 2024માં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં માન્ય દસ્તાવેજો વિના 20,407 ભારતીયોની ઓળખ કરવામાં આવી છે.

Related Post