Uttarakhandનું આ સ્થળ લદ્દાખ કરતાં વધુ સુંદર છે, પરમિટ લેવી પડશે:

Uttarakhandનું આ સ્થળ લદ્દાખ કરતાં વધુ સુંદર છે, પરમિટ લેવી પડશે
Email :

ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લામાં ભારત-નેપાળ સરહદ પર આ એક ખૂબસુરત શહેર છે. આ શહેર પિથૌરાગઢ શહેરથી 90 કિમી. દૂર આવેલું છે. આવો તમને જણાવી દઈએ કે આ જગ્યાની ખાસિયત શુ છે.

દેવભૂમિ ઉત્તરાખંડમાં ઘણી એવી સારી જગ્યાઓ ફરવા માટે છે. ઉત્તરાખંડ માટે ન ફક્ત ભારતીયો જ નહી વિદેશીઓ પણ તેના દિવાના છે. હરિદ્વાર, ઋષિકેશ, લેંસડાઉન અને દેહરાદૂન વિશે તો બઘા જાણે છે. આ જગ્યાના વિશે બહુ ઓછા લોકોને ખબર છે તે સ્થળ પિથૌરાગઢ છે.

આ જગ્યાનુ નામ ધારચૂલા છે. તે નેપાળ બોર્ડર પર આવેલુ છે. તે સ્થળ પિથૌરાગઢ શહેરથી લગભગ 95 કિમી. દૂર છે. ધારચુલાની પશ્ચિમે આવેલા બરફથી ઢંકાયેલા પંચચુલી શિખરો આ સ્થળને જોહર ખીણથી કંઈક અલગ કરે છે. પરંતુ ત્યા જવુ સહેલુ નથી. આ અનોખી જગ્યાની મુલાકાત કેવી રીતે લેવી.

બે દેશોમાં વિભાજીત જગ્યા

ધારચૂલા એ જગ્યા છે જે બે દેશો વચ્ચે વહેચાયેલુ છે. ભારતમાં આ જગ્યાને ધારચૂલા કહેવામાં આવે છે. અને નેપાળના હિસ્સામાં જે જગ્યા છે તેને દાર્ચુલા કહેવામાં આવે છે. બંને દેશો વચ્ચે કાલી નદી વહે છે. અહિંયા બંને દેશોને જોડતો એક પુલ પણ અહી બનાવવામાં આવ્યો છે. અહિંયાથી કૈલાશ અને કૈલાશ માનસરોવર યાત્રા પસાર થાય છે. ધારચૂલા એ જગ્યા છે જ્યા આ વિસ્તારનો સૌથી છેલ્લો પેટ્રોલપંપ આવેલો છે. આ સ્થળ લદ્દાખ કરતા પણ ખૂબ જ સુંદર છે.

જુલજીબી

જો તમે ધારચૂલા જાઓ છો તો જિલજીબી પણ ફરવા જજો તે ખૂબ જ સુંદર જગ્યા છે. આ સ્થળ કાલી નદીઓના સંગમ માટે પ્રખ્યાત છે. નવેમ્બર મહિનામાં યોજાતા મેળામાં અહીં લોકોની મોટા પ્રમાણમાં ભીડ ઉમટે છે.

પુલ બંધાયેલો છે

આ સ્થળ પર ભારત અને નેપાળને જોડતો પુલ પણ બનેલો છે. આ પુલ સવારે ખુલે છે અને સાંજે 6 વાગ્યે બંધ થાય છે. આ સમય દરમિયાન લોકોની અવરજવર હોય છે. જો એક પુલ બંધ થઈ જાય પછી લોકોને તે જ દેશમાં રાત વિતાવવી પડે છે.

પરવાનગી લેવી પડે છે

પરંતુ અહિંયા પહોંચવુ સરળ નથી. અહિંયા આવવા માટે પરમિટ લેવી પડશે. તમે ઓનલાઈન કે ઓફલાઈન બંને રીતે પરમિટ મેળવી શકશો.

Related Post