વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખની મતદારોને ધમકી: 'ભાજપના ઉમેદવારને જીતાડશો તો મકાન તૂટવા નહીં દવ, દગો કર્યો તો કોઈનું રાખવા નહીં દવ'

વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખની મતદારોને ધમકી:'ભાજપના ઉમેદવારને જીતાડશો તો મકાન તૂટવા નહીં દવ, દગો કર્યો તો કોઈનું રાખવા નહીં દવ'
Email :

વડોદરા જિલ્લાની કરજણ નગરપાલિકા સહિતની રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 16 ફેબ્રુઆરીએ યોજાવાની છે. ત્યારે ભાજપ સહિતના રાજકીય પક્ષો પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે વોર્ડ નંબર 7માં પ્રચાર દરમિયાન વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ પટેલે સભા સ્થળે સ્ટેજ પરથી જ મતદારોને ધમકી આપતા હોવાનો વીડિયો વાઈરલ થતા ચકચાર મચી છે. સતીષ પટેલે કહ્યું હતું કે, ભાજપના ચારેય ઉમેદવારોને જીતાડશો તો એકેય મકાન તૂટવા નહીં દવ, જો દગો કર્યો તો એકેયના રાખવા પણ નહીં દવ. તો બીજી તરફ કરજણ બેઠકના પ્રભારી અને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય પટેલે કહ્યું હતું

કે, કરજણની મહંમદ નગરીને "રામ નગરી" બનાવીશું. વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ ભાન ભૂલ્યા જિલ્લા ભાજપા પ્રમુખ સતીશ પટેલ ( નિશાળિયા ) એ સભાને સંબોધતા જણાવ્યું હતુ કે, વોર્ડ નંબર 7 ના ભાજપાના ઉમેદવારોને મત નહિ આપો અને દગો કર્યો તો મકાનો તોડી પડીશું. અને જો ભાજપાને મત આપશો તો મકાનો બચી જશે. તેવી મતદારોને ધમકી આપતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મહંમદ યુસુફ સિંધી "મહંમદ નગર"ના 512 મકાનોમાંથી 100 મકાનોનું ભાડૂ ઉઘરાવી રહ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. વધુમાં સતીષ પટેલે કહ્યં હતું કે, મહંમદ યુસુફ સિંધી વિસ્તારમાં પોતાને આકા સમજી રહ્યો છે. અને ગરીબો

ઉપર દાદાગીરી કરી રહ્યો છે. તે કહે છે કે ચૂંટણી જીત્યા પછી અમે ભાજપામાં જવાના છે. પરંતુ ભાજપા તેને ક્યારેય પાછા લેશે નહીં., બ્રિજ પર નીચેની ગેરકાયદે જગ્યા પચાવી પાડી હતી. જે પરત લઇ લીધી છે. રૂપિયા 1.86 લાખની વીજ ચોરીનું બીલ આપવામાં આવ્યું છે. ભાજપાના નામે ગરીબોને લૂંટવાનું તેને કામ કર્યું છે. પરંતુ, હવે આ રાવણરૂપી મહંમદને ઘરભેગો કરવાનો સમય આવી ગયો છે. ચૂંટણીમાં મતદારો તમે તેને ઘર ભેગો કરો પછી અમે રાવણરૂપી મહંમદનો વધ અમે કરીશું. ડર્યા વગર ભાજપાને મત આપો, ભાજપા તમારી સાથે છે. મહમંદ નગરીને 'રામનગરી' બનાવીશું- વિજય શાહ રવિવારે યોજાયેલી

યોજાયેલી આ જાહેર સભામાં કરજણ નગર પાલિકાની ચૂંટણીના પ્રભારી અને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે, મહંમદ યુસુફ સિંધીએ એક લાખ, દોઢ લાખ અને બે લાખમાં સરકારી પ્લોટો વેચીને મહંમદ નગરી ઉભી કરી છે. પરંતુ આવનાર સમયમાં મહંમદ નગરીને " રામ નગરી " બનાવવાનું કામ ચૂંટાઇને આવનાર વોર્ડ નંબર 7 ના ઉમેદવારો કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સરકાર ગરીબો, દલિતો અને વંચિતોની છે. તે તોડવામાં નહીં જોડવામાં માને છે. વિસ્તારમાં ચાલતા દારૂ -જુગારના અડ્ડા બંધ કરાવીશું, મહંમદે સિંધીએ યુવાનો અને કુટુંબોને બરબાદ કરી દીધા છે.

તેઓએ સરકારી જમીનમાં ગેરકાયદેસર આઇસ્ક્રીમ પાર્લર બનાવી દીધું છે. તેવા એક વખતના ભાજપાના ચુસ્ત મનાતા બળવાખોર મહંમદ યુસુફ ઘાંચી સામે બેફામ આક્ષેપ કર્યા હતા. વોર્ડ નંબર સાતમાં ભાજપ-આપના ઉમેદવારો આ વોર્ડમાં ભાજપાના ઉમેદવારો જ્યોતિબેન વસાવા, તરૂણકુમાર પરમાર, પ્રણવરાજસિહ અટાલીયા અને મુમતાઝ મુલતાની છે. જ્યારે ભાજપાએ ટિકિટ ન આપતાં એક વખતના જિલ્લા ભાજપા પ્રમુખના અંગત મનાતા અને હવે બળવો કરીને આમ આદમી પાર્ટીમાંથી ઉભા રહેલા મહંમદ યુસુફ સિંધીએ પેનલમા પ્રિયંકાબેન માછી, ભરતસિંહ અટાલીયા અને વિનંતાબેન વસાવા ચૂંટણી લડી રહ્યા છે. સભામાં મોટી સંખ્યામાં વોર્ડના ભાજપા કાર્યકરો અને સ્થાનિક લોકો એકઠા થયા હતા. જોકે, સભામાં સ્થાનિક મતદારો કરતાં

વડોદરાથી લવાયેલા કાર્યકરો વધુ હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કરજણ નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપાએ ટિકીટ ન આપતાં બળવો કરીને આમ આદમી પાર્ટીમાંથી પેનલ બનાવી ચૂંટણી લડી રહેલાં મહંમદ યુસુફ સિંધીએ ભાજપામાં ગભરાટ ફેલાવી દીધો છે. કરજણ નગર પાલિકા કબજે કરવા માટે આખું ભાજપા કરજણના ચૂંટણી મેદાનમાં ઉતરી પડ્યું છે. ઉલ્લેખનીય બાબત એ છે કે, કરજણમાં તમામ જ્ઞાતિના મતદારો ઉપર ભારે વર્ચસ્વ ધરાવતા મહંમદ યુસુફ સિંધી પોતાના વોર્ડ નંબર 7 સહિત વોર્ડ નંબર 1, 2, અને 3માં મોટી અસર પહોંચાડી શકે છે. આ ત્રણેય વોર્ડમાં 60 ટકા મુસ્લિમ અને 40 ટકા હિંદુ મતદારો છે.

Related Post