‘અમારા કેસમાં બહુ રસ લીધો છે’: ભાયલી હત્યા કેસમાં નિર્દોષ છૂટેલા વ્યક્તિઓએ પાદરા વકીલ મંડળના પ્રમુખને મારી નાખવાની ધમકી આપી

‘અમારા કેસમાં બહુ રસ લીધો છે’:ભાયલી હત્યા કેસમાં નિર્દોષ છૂટેલા વ્યક્તિઓએ પાદરા વકીલ મંડળના પ્રમુખને મારી નાખવાની ધમકી આપી
Email :

વડોદરા જિલ્લાના પાદરા વકીલ મંડળના પ્રમુખને હત્યા કેસમાં નિર્દોષ છૂટેલા વ્યક્તિઓએ મારી નાંખવાની ધમકી આપતા ચકચાર મચી ગઇ છે. ધમકી આપનાર ત્રણ શખ્સ સામે વકીલે પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં તપાસ હાથ ધરાઈ છે. મર્ડર કેસમાં સેશન્સ કોર્ટ ખાતે ટ્રાયલ દરમિયાન ફરિયાદી મિત્ર સાથે વાતચીત કરતા હતા આ બનાવ અંગે પાદરા પોલીસ મથકમાં પાદરા વકીલ મંડળના પ્રમુખ દિપકભાઇ મથુરભાઇ પ્રજાપતિએ નોંધાવેલી

ફરિયાદ મુજબ વિગત એવી છે કે, વકીલ દિપકભાઇ પ્રમુખ તરીકે 6 વર્ષથી સેવા આપી રહ્યા છે. વર્ષ 2017માં ભાયલી ખાતે ભૌમિક પટેલ નામના વ્યક્તિની હત્યા થઇ હતી. જે તેમના સાથી વકીલ મિત્ર સુનિલ પટેલનો ભાણેજ જમાઇ હતો. આ મર્ડર કેસમાં સેશન્સ કોર્ટ ખાતે ટ્રાયલ દરમિયાન ફરિયાદી મિત્ર સાથે વાતચીત કરતા હતા. આ મામલે 5 મે, 2025ના રોજ ચુકાદો આવ્યો હતો.

જેમાં ગુનો સાબિત ન થતા કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુક્યા હતા. હત્યા કેસમાં ચાર્જશીટ કરવાનો બહુ શોખ હતો આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પૈકી શહેજાદ ઉર્ફે બિલાલ ઇકબાલભાઇ વ્હોરા અને શાહરૂખભાઇ ઇકબાલભાઇ વ્હોરાની પાદરા ટાઉનના રામજી કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં દુકાન આવેલી છે. આ કોમ્પ્લેક્ષમાં બીજા માળે વકીલ દિપકભાઇ પ્રજાપતિની પણ ઓફિસ આવેલી છે. ફરિયાદીના વકીલ મિત્ર કિરીટ પટેલને આરોપીએ પુછ્યું હતું કે,

ઉપર ઓફિસ આવેલી છે, તે દિપકભાઇ વકીલ ક્યાં છે, તેને હત્યા કેસમાં ચાર્જશીટ કરવાનો બહું શોખ હતો. આ અંગેની હકીકત વકીલ મિત્ર દ્વારા ફરિયાદીને જણાવવામાં આવી હતી. પંચો અને સાહેદોને પણ હવે હું જોઇ લઇશ દરમિયાન 30, મેના રોજ સાંજે વકીલ દિપકભાઈ ઓફિસથી પાદરા કોર્ટ તરફ જતા હતા. તે દરમિયાન શહેજાદ સાથે એક નજર થઇ જતા તેણે કહ્યું કે, તું મને

શું જુએ છે, જેથી ફરિયાદી તેમની દુકાને ગયા હતા. જ્યાં શાહરૂખ, તેના પિતા ઇકબાલભાઇ અને અન્યએ મળીને તેમને અપશબ્દો બોલ્યા હતા. અને કહ્યું કે, તે અમારા કેસમાં બહુ રસ લીધો છે, આ કેસમાં રાખેલા પંચો અને સાહેદોને પણ હવે હું જોઇ લઇશ. અમે ધારીએ તો તને કોર્ટમાં આવીને કે તારી ઓફિસમાં આવીને જાનથી મારી નાંખીએ. બંનેની ઓફિસ એક જ કોમ્પ્લેક્ષમાં હોવાથી

જીવને જોખમ જણાતા ફરિયાદ કરી ​​​​​​​ધમકી મળતાં વકીલ દિપક પ્રજાપતિ ત્યાંથી જતા રહ્યા હતા. બંનેની ઓફિસ એક જ કોમ્પ્લેક્ષમાં આવેલી હોવાથી વકીલના જીવને જોખમ જણાતું હતું. જેથી આખરે ઉપરોક્ત મામલે શહેજાદ ઉર્ફે બિલાલ ઇકબાલભાઇ વ્હોરા, શાહરૂખભાઇ ઇકબાલભાઇ વ્હોરા, અને ઇકબાલ અબ્દુલભાઇ વ્હોરા (રહે. પાદરા ટાઉન, પાદરા, વડોદરા ગ્રામ્ય) વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Related Post