Rose Day કેમ મનાવવામાં આવે છે, જાણો ઈતિહાસ અને તેનુ મહ્તવ:

Rose Day કેમ મનાવવામાં આવે છે, જાણો ઈતિહાસ અને તેનુ મહ્તવ
Email :

શું તમે જાણો છો કે પ્રેમ વ્યકત કરવા માટે ગુલાબનો ઉપયોગ કરતા લોકો એ નથી જાણતા હોતા કે આખરે રોઝ ડે કેમ મનાવવામાં આવે છે. શું છે રોઝ ડે મનાવવાનો ઈતિહાસ જાણીએ કે રોઝ ડે કેમ મનાવાય છે. લોકો પોતાના પ્રેમ અને સ્નેહના પ્રતિકના રુપે એકબીજાને રોઝ આપે છે. અને પોતાના પ્રેમની લાગણીઓ વ્યક્ત કરતા હોય છે. અને રોઝ ડે મનાવે છે

ફ્રેબ્રુઆરીનો મહિનો પ્રેમ કરવા વાળા દરેક લોકો માટે ખાસ હોય છે. આ મહિનામાં પ્રેમીઓના પ્રેમની પરીક્ષાનો સંપૂર્ણ લિસ્ટ આવતુ હોય છે. જેમાં પહેલો દિવસે રોઝ ડે હોય છે અને છેલ્લા દિવસે વેલેન્ટાઈન ડે હોય છે. જેમાં આ દિવસો 7મી ફ્રેબ્રુઆરીથી શરુ થઈને 14મી ફ્રેબ્રુઆરી સુધી મનાવવામાં આવતાહોય છે. વેલેન્ટાઈન વીકનો દરેક દિવસ પ્રેમને પ્રોત્સાહન આપવાનો હોય છે.

ક્યારે મનાવવામાં આવે છે રોઝ ડે

વેલેન્ટાઈન વીકની શરુઆત રોઝ ડેથી થાય છે. રોઝ ડે દર વર્ષે 7મી ફ્રેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. આ દિવસે કપલ્સ પોતાના પાર્ટનરને ગુલાબનું ફુલ આપીને પોતાના પ્રેમની લાગણીઓ વ્યક્ત કરતા હોય છે.

કેમ મનાવવામાં આવે છે રોઝ ડે

ગુલાબને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. લોકો પોતાના પ્રેમ અને સ્નેહના પ્રતિકના રુપમાં એકબીજાને રોઝ આપે છે અને આ દિવસની ઉજવણી કરતા હોય છે. આ દિવસે એવી ખાસ મનપસંદ વ્યક્તિને ગુલાબનો ગુલદસ્તો આપવામાં આવે છે. જેને તમે પસંદ કે પ્રેમ કરતા હોવ. ગુલાબના રંગની જેમ કપલ્સ પણ એકબીજા માટે પ્રેમ વરસાવે. અને આ દિવસ ફ્કત પ્રેમીઓ માટે જ નથી હોતો તે કોઈપણ ઉંમરની વ્યકિત તેને મનાવી શકે છે.

રોઝ ડેનો ઈતિહાસ

રોઝ આપવાથી કોઈપણ વ્યકિત ખુશ થઈ જતી હોય છે. જો વાત રોઝ ડેના ઈતિહાસની કરીએ તો મુગલ બેગમ નૂરજહાંને ગુલાબ ખૂબ જ પસંદ હતું. જહાંગીર બેગમ નૂરજહાંને ખુશ કરવા માટે રોજ ટનબંધ લાલ ગુલાબ તેમના મહેલ ભેટસોગાદો તરીકે મોકલાવતા હતા. જ્યારે કે રોઝ ડેને લઈ રાણી વિકટોરિયાના જમાનાની પણ છે. જ્યારે લોકો પોતાનો પ્રેમ અને લાગણીઓ એકબીજાને કહેવા માટે એકબીજાને ગુલાબ આપતા હતા. આ પ્રથા ધીમે ધીમે યુગલો અને પ્રેમીઓમાં લોકપ્રિય થઈ અને ત્યારથી પ્રેમીઓ એકબીજાને ગુલાબ આપે છે. આ પરંપરાને ચાલુ રાખવા માટે વેલેન્ટાઈન વીકના પહેલા દિવસ રોઝ ડે તરીકે મનાવવામાં આવે છે.

Related Post