પહેલગામ આતંકી હુમલાના મૃતકોને VHP-બજરંગદળની પુષ્પાંજલિ: 'હિન્દુ પાસેથી ખરીદી કરો, વિધર્મીની દુકાન હોય તો બજરંગ દળને જાણ કરો', જય શ્રીરામના નારા લાગ્યા

પહેલગામ આતંકી હુમલાના મૃતકોને VHP-બજરંગદળની પુષ્પાંજલિ:'હિન્દુ પાસેથી ખરીદી કરો, વિધર્મીની દુકાન હોય તો બજરંગ દળને જાણ કરો', જય શ્રીરામના નારા લાગ્યા
Email :

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા છે. ત્યારે અમદાવાદમાં ઠેર-ઠેર વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ્યારે રાજકોટ અને સુરતમાં શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિ સહિત કેન્ડલ માર્ચનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી

સંખ્યામાં લોકો જોડાયા હતા. અમદાવાદમાં ઘાટલોડિયાના પ્રભાત ચોક ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન બજરંગ દળના ઉપપ્રમુખ હિરેન રબારીએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પહેલાં નાપાક પાકિસ્તાનના આતંકવાદીઓએ હિન્દુઓને ધર્મ પૂછીને ટાર્ગેટ કરીને બર્બરતા પૂર્વક હત્યા કરવામાં આવી હતી. વધુમાં જણાવ્યું હતું કે, મૃતક હિન્દુઓની શ્રદ્ધાંજલિનો

કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઘાટલોડિયા વિસ્તારના પ્રભાત ચોકના દરેક વેપારી જોડાયા હતા અને જાહેર જનતા પણ જોડાઈ હતી. વેપારીઓને એવા સંદેશ આપ્યા છે કે, હિન્દુઓ પાસેથી ખરીદી કરો. તમારી આસપાસ કોઈ વિધર્મીની દુકાન આવે તો બજરંગ દળને જાણ કરો અને જાગવું પડશે.

Related Post