ભાજપ મંત્રીના પોસ્ટર પર ગદ્દાર લખી ચપ્પલ મારી-આગ ચાંપી: કર્નલ સોફિયાને આતંકવાદીઓની બહેન કહેવા મુદ્દે રાજકોટમાં કોંગ્રેસે MPના મંત્રી વિજય શાહનો વિરોધ કર્યો

ભાજપ મંત્રીના પોસ્ટર પર ગદ્દાર લખી ચપ્પલ મારી-આગ ચાંપી:કર્નલ સોફિયાને આતંકવાદીઓની બહેન કહેવા મુદ્દે રાજકોટમાં કોંગ્રેસે MPના મંત્રી વિજય શાહનો વિરોધ કર્યો
Email :

ઓપરેશન સિંદૂર સાથે સંકળાયેલા કર્નલ સોફિયા વિશે વિવાદીત નિવેદન મામલે આજરોજ (16 મે) રાજકોટમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના કાર્યકારી પ્રમુખ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજપૂતની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના મધ્યપ્રદેશ રાજ્યના મંત્રી વિજય શાહ અને રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટર ચેતન સુરેજા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં વિજય શાહ ગદ્દાર છે, તેવા પોસ્ટરને જૂતા મારવામાં આવ્યા હતાં અને બાદમાં તેના ફોટાવાળા પોસ્ટર સળગાવવામાં આવ્યા હતા. ભાજપ સરકાર અને મોદી શા માટે મૌન છે?: મહેશ રાજપૂત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતે જણાવ્યુ હતું કે, સમગ્ર ભારતની જનતા જ્યારે દેશના વારિષ્ઠ સૈન્ય અધિકારી કર્નલ

સોફિયા કુરેશીને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી રહી છે, ત્યારે ભાજપના મધ્યપ્રદેશ રાજ્યના મંત્રી વિજય શાહએ દેશની જાંબાજ દીકરી ઉપર અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા છે. ત્યારે મધ્યપ્રદેશ હાઈકોર્ટે પણ ફક્ત 4 કલાકમાં એફ.આઇ.આર. નોંધવા અને ગુનો દાખલ કરવા હુકમ કર્યો છતાં ભાજપ સરકાર અને મોદી શા માટે મૌન છે? ‘ભાજપની બેવડી નીતિઓ ક્યાં સુધી પ્રજા સહન કરશે?’ સામાન્ય વ્યક્તિ કે ભાજપ સિવાયના અન્ય રાજકીય પક્ષના આગેવાને જો વિજય શાહ જેવા શબ્દો ઉચ્ચારી અને ભારતની દીકરીનું અપમાન કર્યું હોત તો તાત્કાલિક ગુનો દાખલ થઈ ગયો હોત અને ધરપકડ કરી મોટી મોટી કલમો લગાડી લીધી હોત. ભાજપની બેવડી નીતિઓ ક્યાં સુધી ભારતની પ્રજાએ સહન

કરવાની છે? વિજય શાહ સામે નામદાર સુપ્રીમ કોર્ટે પણ આકરી ટીકા કરી છે, પણ 56ની છાતીવાળા મોદીએ ચુપકીદી સાધી છે. ‘વિજય શાહે વિદ્યા બાલનની ફિલ્મનું શૂટિંગ અટકાવ્યું હતુ’ મધ્ય પ્રદેશ ભાજપ સરકારના કેબિનેટ મંત્રી વિજય શાહે દેશની દીકરી ઉપર અપમાનજનક શબ્દો કહ્યા છે, જેનાથી આખો દેશ આક્રોષિત છે. આ મંત્રી ભૂતકાળમાં પણ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના ધર્મપત્ની વિષે આપત્તિજનક ટિપ્પણી કરી ચૂક્યા છે. તેમજ મધ્યપ્રદેશમાં એક ફિલ્મની શૂટિંગ દરમિયાન અભિનેત્રી વિદ્યા બાલનની પણ ફિલ્મનું શૂટિંગ અટકાવી ચૂક્યા છે. આ ભાજપના મંત્રી હલકી વિચારધારા અને નબળું ચારિત્ર્ય સાબિત કર્યું છે. ‘બન્ને નેતાએ ભાજપની નિમ્ન વિચારધારા સ્પષ્ટ દેખાડી’ રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના

કોર્પોરેટર ચેતન સુરેજાએ સોસિયલ મીડિયામાં એક મેસેજ મૂક્યો હતો કે, 240 સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે. આખું યુધ્ધ જોવા 400 સીટ આપવી પડે! ભાજપ કોર્પોરેટર ચેતન સુરેજાએ ચેષ્ટા કરી છે અને ભારત દેશના નાગરિકોનું અને સૈન્યનું અપમાન કર્યું છે. ધિક્કાર છે આવા ભાજપના નેતાઓને. દરેક સમયે મતની રાજનીતિ સુજે છે. કારણ કે, ભાજપને દરેક કાર્યમાં માત્ર વોટ બેંક કેમ વધારવી તેના સિવાય કોઈ વિચાર હોતો નથી. જ્યારે દેશના તમામ પક્ષો તમામ નાગરિકો પોતાની જાતિ ભૂલી, ધર્મ ભૂલી માત્ર દેશની રક્ષા માટે એકજુટ થઈને લડતા હોય ત્યારે આ બંને ભાજપના સંસ્કાર ઉજાગર કર્યા છે, જે ભાજપનો ચહેરો ખુલ્લો પડી

ગ્યો છે. માત્ર મત મેળવવાની નીતિ અને બેફામ વાણી વિલાસ ભાજપના નેતાઓએ કર્યા છે, જે ભાજપની નિમ્ન વિચારધારા સ્પષ્ટ દેખાડી છે. કર્નલ સોફિયા પર ભાજપમંત્રીએ શું વાંધાજનક નિવેદન આપ્યું હતું? મધ્યપ્રદેશ સરકારના મંત્રી વિજય શાહે ભારતીય સેનાનાં કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપતા કહ્યું હતું કે, જે લોકોએ આપણી દીકરીઓનો સિંદૂર ઉજાડ્યો હતો, મોદીજીએ તેમની જ બહેનને મોકલીને તેમની ઐસી કી તૈસી કરી દીધી. શાહે ઇન્દોરના મહુના રાયકુંડા ગામમાં આયોજિત હલમા કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું. એનો વીડિયો વાઇરલ થયો હતો. આમાં તેઓ એમ પણ કહી રહ્યા છે કે મોદી સમાજ માટે જીવે છે અને સમાજ માટે કામ કરી

રહ્યા છે. મંત્રી વિજય શાહનું સંપૂર્ણ નિવેદન વાંચો... શાહે એમ પણ કહ્યું હતું કે તેઓ આપણા હિન્દુઓને કપડાં ઉતારીને મારતા હતા અને મોદીજીએ તેમની બહેનને તેમના ઘરે તેમને મારવા મોકલી હતી. હવે મોદીજી તો કપડાં ઉતારી ના શકે, તેથી તેમણે તેમના સમુદાયની એક બહેનને મોકલી કે તમે અમારી બહેનોને વિધવા બનાવી દીધી, તેથી તમારા સમુદાયની બહેન આવીને તમને નગ્ન કરશે. જાતિ અને સમુદાયની બહેનોને પાકિસ્તાન મોકલીને દેશનાં માન-સન્માન અને આપણી બહેનોના સુહાગનો બદલો લઈ શકો છો. શાહે કહ્યું- મોદીજીએ કહ્યું હતું કે ઘરમાં ઘૂસીને મારીશું. જમીનમાં દાટી દઈશું. આતંકવાદીઓ ત્રણ માળના મકાનમાં બેઠા હતા. એક મોટા બોમ્બથી છત ઉડાડી

દેવામાં આવી, પછી વચ્ચેની છત ઉડાડી દેવામાં આવી અને અંદર ગયા પછી પરિવાર ભાંગી પડ્યો. ફક્ત 56 ઇંચની છાતી ધરાવતી વ્યક્તિ જ આ કરી શકે છે. શાહે કહ્યું- ભાષણને ખોટા સંદર્ભમાં ન જુઓ વીડિયો વાઇરલ થયા પછી મંત્રી વિજય શાહે મંગળવારે સમાચાર એજન્સી ANIને જણાવ્યું, પ્રધાનમંત્રીએ આપણી બહેનોના સિંદૂરને ઉજાડનારાઓને તેમની જ ભાષામાં જવાબ આપ્યો છે. મારા ભાષણને અલગ સંદર્ભમાં ન જુઓ. કેટલાક લોકો એને અલગ સંદર્ભમાં જોઈ રહ્યા છે. તેઓ આપણી બહેનો છે અને તેમણે પોતાની પૂરી તાકાતથી સેના સાથે કામ કર્યું છે. સંગઠન મહાસચિવને નિવેદન બદલ ઠપકો મંત્રી શાહના નિવેદનથી ગુસ્સે ભરાયેલા પાર્ટી હાઇકમાન્ડે તેમને રાજ્ય મુખ્યાલયમાં બોલાવ્યા. સંગઠન

મહાસચિવ હિતાનંદ શર્માના કહેવા પર મંત્રી ચપ્પલ પહેરીને પાર્ટી કાર્યાલય પહોંચ્યા. અહીં સંગઠનના મહાસચિવે તેમને નિવેદન બદલ ઠપકો આપ્યો, ત્યાર બાદ મંત્રીએ પોતાના શબ્દો બદલી નાખ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર, શાહે માફી માગી છે અને ફરી આવું નહીં કરવાનું વચન આપ્યું છે. રાજ્યસભાના સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ તેમને મંત્રીપદ પરથી હટાવવાની માગ કરી અભદ્ર ટિપ્પણીઓને કારણે મંત્રીપદ ગુમાવ્યું હતું 2013ની વિધાનસભા ચૂંટણી પહેલાં વિજય શાહે ઝાબુઆમાં એક કાર્યક્રમમાં તત્કાલીન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની પત્ની સાધના સિંહ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. એ સમયે તેઓ શિવરાજ સરકારમાં મંત્રી હતા. ટિપ્પણી પર વિવાદ વધ્યા બાદ પાર્ટીએ તેમનું રાજીનામું લઈ લીધું. રાહુલ ગાંધી અપરિણીત

હોવા પર પણ ટિપ્પણી કરી સપ્ટેમ્બર 2022માં વિજય શાહે રાહુલ ગાંધીના અપરિણીત હોવા પર ટિપ્પણી કરી હતી. તેમણે ખંડવામાં એક સભામાં કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ 50-55 વર્ષની ઉંમર પછી પણ લગ્ન ન કરે તો લોકો પૂછવા લાગે છે કે શું છોકરામાં કોઈ ખામી છે? વિદ્યા બાલને રાત્રે મળવાની ના પાડી, તો શૂટિંગ બંધ કરાવ્યું નવેમ્બર 2023માં શાહે રાત્રે બાલાઘાટમાં શૂટિંગ માટે આવેલી અભિનેત્રી વિદ્યા બાલનને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. વિદ્યા બાલને આનો વિરોધ કર્યો હતો. આ પછી શાહે વન વિભાગ દ્વારા ફિલ્મનું શૂટિંગ બંધ કરાવ્યું. જ્યારે મામલો રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યો ત્યારે શાહ અને વન વિભાગને પાછળ હટવું પડ્યું.

Leave a Reply

Related Post