શેત્રુંજી નદીમાં નાહવા પડેલા યુવકો ડૂબ્યા, 4નાં મોત: નદી કાંઠે કપડાં જોવા મળતાં ફાયર વિભાગ પહોંચ્યો; મૃતદેહ બહાર કઢાયા, સમગ્ર પંથકમાં શોક છવાયો

શેત્રુંજી નદીમાં નાહવા પડેલા યુવકો ડૂબ્યા, 4નાં મોત:નદી કાંઠે કપડાં જોવા મળતાં ફાયર વિભાગ પહોંચ્યો; મૃતદેહ બહાર કઢાયા, સમગ્ર પંથકમાં શોક છવાયો
Email :

અમરેલી તાલુકામાં આવેલ ગાવડકા શેત્રુંજી નદીમાં 4 યુવાન સાંજના સમયે નાહવા પડ્યા હતા. ત્યાર બાદ નદી કાંઠે કપડાં જોવા મળતાં અમરેલી તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અમરેલી ફાયર વિભાગને કોલ કરતાં અમરેલી ફાયર ઓફિસર એસ.સી.ગઢવીની ટીમ ઘટનાસ્થળે પહોંચી નદીમાંથી એક પછી એક યુવાનની શોધખોળ હાથ ધરી બહાર કાઢવામાં આવ્યા હતા. આ મૃતકો ચલાલા નજીક આવેલ મીઠાપુર ડુંગરીના

રહેવાસી છે. અલગ અલગ યુવાનો મિત્રો સાથે નાહવા નદીમાં આવ્યા હતા અને આ ઘટનામાં મોત મળતાં પરિવાર અને નાનકડા ગામમાં શોકનો માહોલ છવાયો છે. 4 વ્યક્તિની લાશ બહાર કાઢવામાં આવી ચલાલાના મીઠાપુર ડુંગરીના રહેવાસી ભાર્ગવ રમેશભાઈ રાઠોડ (ઉં.20) ,નરેન્દ્ર પ્રેમજીભાઈ વાળા (ઉં.18), કૌશિક મુળજીભાઈ રાઠોડ (ઉં.21), કમલેશ ખોડાભાઈ દાફડા (ઉં.22), આ ચારેય યુવાન મીઠાપુર ડુંગરી ગામના રહેવાસી છે અને વિદ્યાર્થીઓ

હોવાની માહિતી મળી રહી છે. અલગ અલગ પરિવારના યુવાનો મિત્ર સર્કલ સાથે નાહવા જતાં ડૂબી જવાને કારણે મોત નીપજ્યાં છે. તમામ યુવાનોના મૃતદેહો અમરેલી હોસ્પિટલમાં ખસેડાયા ફાયર વિભાગ દ્વારા યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. અમરેલી સિવિલ હોસ્પિટલમાં યુવાનોની બોડીઓ લઈ જવામાં આવી છે. ત્યાં સિવિલમાં પીએમ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઘટનાના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

Leave a Reply

Related Post