વિરાટે પૂછ્યું- રામલલ્લા ત્યાં, તો હનુમાન અહીં કેમ?: અનુષ્કાનો સવાલ- ધર્મથી શાંતિ કેવી રીતે મળે છે?; હનુમાનગઢીના મહંતે આપ્યા જવાબ

વિરાટે પૂછ્યું- રામલલ્લા ત્યાં, તો હનુમાન અહીં કેમ?:અનુષ્કાનો સવાલ- ધર્મથી શાંતિ કેવી રીતે મળે છે?; હનુમાનગઢીના મહંતે આપ્યા જવાબ
Email :

ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા રવિવારે સવારે અયોધ્યા પહોંચ્યાં. અહીં તેમણે રામલલ્લાનાં દર્શન કર્યાં. આ પછી તેઓ હનુમાનગઢી પહોંચ્યાં અને દર્શન-પૂજા કરી. વિરાટ અને અનુષ્કાએ હનુમાનગઢીના મહંત સંજય દાસ સાથે લગભગ 15 મિનિટ વાત કરી. વિરાટે પૂછ્યું કે હનુમાન રામલલ્લાથી આટલા દૂર કેમ છે? અનુષ્કાએ ધર્મ અને આધ્યાત્મિકતા વિશે પણ સવાલો પૂછ્યા. હનુમાન ગઢીમાં વિરાટ-અનુષ્કા વિરાટ-અનુષ્કાના સવાલો, મહંત સંજય દાસના જવાબ વિરાટ: હનુમાન અહીં કેમ છે? મહંતઃ રામ કોટ વિસ્તારમાં આવેલા હનુમાનગઢી શ્રી હનુમાનજીનું કાયમી નિવાસસ્થાન છે. એટલા માટે કહેવાય છે કે "રામ દુઆરે તુમ રખવારે", એટલે કે

હનુમાન ભગવાન રામના દ્વારપાલ છે. તેઓ અયોધ્યાના રક્ષક છે. એટલા માટે તેમને અયોધ્યાના રાજા કહેવામાં આવે છે. વિરાટ: હનુમાન માતા સીતાના પહેલા પુત્ર કેવી રીતે છે? મહંત: શાસ્ત્રોમાં હનુમાનને ભગવાન રામના અનન્ય ભક્ત તરીકે ઓળખવામાં આવે છે. તેમને માતા સીતાના માનસપુત્ર પણ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, અશ્વમેધ યજ્ઞ દરમિયાન લવકુશે હનુમાનને બંદી બનાવ્યા હતા. જ્યારે માતા સીતાએ આ સમાચાર સાંભળ્યા ત્યારે તેમણે કહ્યું કે તમે તમારા મોટા ભાઈ અને અમારા પહેલા પુત્રને કેદ કરી દીધા છે. જ્યારે સીતાએ હનુમાનની ભક્તિ, સેવા અને સમર્પણ જોયાં ત્યારે તેમણે તેમને

પુત્ર જેવો પ્રેમ આપ્યો. લોકકથાઓમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે માતા સીતાએ તેમને 'મનમાંથી જન્મેલા પુત્ર'નો આશીર્વાદ આપ્યા હતા. હનુમાનજીએ માત્ર શ્રીરામની સેવા જ નહોતી કરી, પરંતુ માતા સીતાને દરેક મુશ્કેલીમાંથી બચાવવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ સંબંધ ફક્ત સેવાનો નહીં, પણ આધ્યાત્મિક પુત્રત્વનો બન્યો. વિરાટ: અયોધ્યાનું શું મહત્ત્વ છે? મહંત: અયોધ્યા ફક્ત એક ધાર્મિક સ્થળ નથી, પણ ભારતનો આત્મા છે. આ સપ્તપુરીઓમાંથી એક છે, જ્યાં એવું માનવામાં આવે છે કે મૃત્યુ પછી વ્યક્તિને મોક્ષ મળે છે. આ શહેર ત્રેતાયુગ સાથે સંકળાયેલું છે. અહીંનાં મુખ્ય મંદિરોમાં

રામ જન્મભૂમિ, કનક ભવન અને હનુમાન ગઢીનો સમાવેશ થાય છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં સરયૂ નદીમાં સ્નાન કરવા આવે છે. અહીંની હવામાં પણ ભક્તિ અને શાંતિનો અનુભવ થાય છે. વિરાટ: હનુમાનગઢી ક્યારથી છે? મહંત: હનુમાનગઢી મંદિર સ્થાપત્યનું એક અદ્ભુત ઉદાહરણ છે. એવું માનવામાં આવે છે કે હનુમાન અહીંની ગુફામાં રહે છે અને રામ નગરીનું રક્ષણ કરે છે. આ મંદિર 18મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. આજે પણ એનું સંચાલન સ્થાનિક સંતો, પૂજારીઓ અને ભક્તોની મદદથી ચલાવવામાં આવે છે. અનુષ્કા: ધર્મ શું છે, એનાથી શાંતિ કેવી રીતે મળે છે? મહંત: ધર્મ

ફક્ત પૂજા નથી, પણ જીવન જીવવાની રીત છે. સત્ય, અહિંસા, દયા, સેવા અને ક્ષમા જેવાં મૂલ્યો અપનાવીને વ્યક્તિ માનસિક શાંતિ પ્રાપ્ત કરે છે. ધર્મ એ દીવો છે, જે અંધકારમાં રસ્તો બતાવે છે. જ્યારે કોઈ વ્યક્તિ ધર્મ અનુસાર પોતાનું જીવન જીવે છે ત્યારે તેનો અંતરાત્મા શાંત હોય છે. અનુષ્કા: વ્યસ્ત જીવનશૈલીમાં આધ્યાત્મિકતા સાથે કેવી રીતે જોડાવવું? મહંત: ભક્તિમાં શિસ્ત, સંયમ, શ્રદ્ધા અને સેવાની ભાવના સૌથી જરૂરી છે. આધ્યાત્મિકતા એ ફક્ત પૂજા નથી, પરંતુ એ પ્રામાણિકતા, ધીરજ અને જીવનમાં બીજાઓની સેવા કરવાની ભાવના છે. વિરાટ અને અનુષ્કા 30 મિનિટ સુધી રામ

મંદિરમાં રોકાયાં રવિવારે વિરાટ-અનુષ્કાએ રામ મંદિરમાં રામલલ્લાનાં દર્શન કર્યાં. રામ મંદિરના પૂજારી સાથે મંદિરની કોતરણી વિશે વાત કરી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંનેએ મંદિરના પહેલા માળના બાંધકામનું કામ પણ જોયું. અત્યારસુધી ફક્ત બાંધકામ એજન્સીઓ સાથે સંકળાયેલા લોકો અને અધિકારીઓ જ અહીં આવતા અને જતા હતા. બંને લગભગ અડધો કલાક મંદિર પરિસરમાં રહ્યા. લખનવી કુર્તામાં જોવા મળી અનુષ્કા અનુષ્કા શર્માએ લખનવી ચિકન કુર્તો પહેર્યો હતો. તેના માથા પર ગુલાબી રંગનો દુપટ્ટો હતો. વિરાટ કોહલીએ ક્રીમ રંગનો કુર્તા-પાયજામા પહેર્યો હતો. રામલલ્લા અને હનુમાનગઢીનાં દર્શન કર્યાં પછી વિરાટ-અનુષ્કા લખનઉ જવા રવાના

થયાં. વિરાટ અને અનુષ્કાના અયોધ્યા પહોંચવાની કોઈ માહિતી પહેલાં નહોતી. તેઓ લખનઉથી કાર દ્વારા અયોધ્યા આવ્યાં હતાં. ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ વિરાટ-અનુષ્કા વૃંદાવન પહોંચ્યાં 12 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના બીજા દિવસે વિરાટ અને અનુષ્કા 13 મેના રોજ વૃંદાવન પહોંચ્યાં. બંનેએ પ્રેમાનંદ મહારાજને પ્રણામ કર્યા અને તેમના આશીર્વાદ લીધા. બંને આશ્રમમાં 2 કલાક અને 20 મિનિટ રહ્યાં. પ્રેમાનંદ મહારાજ સાથે પણ લગભગ 7 મિનિટ ખાનગીમાં વાત કરી. મહારાજાએ બંનેને આશીર્વાદ આપ્યા અને ચૂંદડી ભેટમાં આપી. તેમણે કહ્યું- જાઓ, ખૂબ ખુશ રહો, નામનો જાપ કરતો રહો. આના

પર અનુષ્કાએ પૂછ્યું- બાબા, શું નામનો જાપ કરવાથી બધું સિદ્ધ થશે? મહારાજે જવાબ આપ્યો- હા, બધું જ સિદ્ધ થશે. વિરાટ 13 મેના રોજ ત્રીજી વખત વૃંદાવન પહોંચ્યો. આ પહેલાં તેઓ 4 જાન્યુઆરી 2023 અને 10 જાન્યુઆરી 2025ના રોજ વૃંદાવન આવ્યાં હતાં. પ્રેમાનંદ મહારાજ સાથેની ત્રણ મુલાકાતની તસવીર 12 મેના રોજ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું 12 મેના રોજ વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે 'મેં 14 વર્ષ પહેલાં ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર બેગી બ્લૂ જર્સી પહેરી હતી. સાચું કહું તો મેં ક્યારેય કલ્પના પણ

નહોતી કરી કે આ ફોર્મેટ મને આવી સફર પર લઈ જશે. તેણે મારી કસોટી કરી, મને ઓળખ આપી, અને મને એવા પાઠ શીખવ્યા જે હું મારા બાકીના જીવન માટે મારી સાથે રાખીશ. સફેદ જર્સીમાં રમવું એ મારા માટે ખૂબ જ ખાસ અને વ્યક્તિગત અનુભવ છે. મહેનત, લાંબા દિવસો, નાની ક્ષણો જે કોઈ જોતું નથી, પણ એ હંમેશાં તમારી સાથે રહે છે. જેમ જેમ હું આ ફોર્મેટથી દૂર જઈ રહ્યો છું, એ સરળ નથી, પરંતુ હાલમાં એ યોગ્ય લાગે છે. મેં મારું સર્વસ્વ આમાં સમર્પિત કરી દીધું છે.

Leave a Reply

Related Post