Health : શરીરમાં 'Vitamin D'ની ઉણપ દૂર કરવા અપનાવો આ Best વિકલ્પ

Health : શરીરમાં 'Vitamin D'ની ઉણપ દૂર કરવા અપનાવો આ Best વિકલ્પ
Email :

શરીર માટે વિટામિન ડી (Vitamin D) મહત્વપૂર્ણ પોષક તત્ત્વ માનવામાં આવે છે. સૂર્ય પ્રકાશ વિટામિન ડીનો મુખ્ય સ્ત્રોત છે. પરંતુ આજે મહિલાઓ અને પુરુષો બંને મોટાભાગનો સમય ઓફિસમાં અને ઘરમાં પસાર કરતા હોય છે. જેના કારણે તેઓ સૂર્ય કિરણમાંથી વિટામિન ડી મેળવી શકતા નથી. વિટામિન ડીની ઉણપથી થાક, હાડકામાં દુખાવો, સ્નાયુઓની નબળાઈ અને વારંવાર બીમારી જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ ઉણપ આગળ જતા ગંભીર બીમારીમાં પરિણમી શકે છે. એટલે બને ત્યાં સુધી આપણે વિટામિન ડીનું સેવન કરવું જોઈએ. મહિલાઓ અને પુરુષો કામના કલાકો અને ઘરમાં સમય પસાર કરતા સૂર્ય કિરણોથી વિટામિન ડી ના મેળવી શકતા હોય તો અન્ય વિકલ્પની મદદ લઈ શકે છે. 

આ સપ્લિમેન્ટ કરશે ઉણપ દૂર

આ વિટામિન D3 ના રૂપમાં ગોળીઓ, કેપ્સ્યુલ્સ અથવા પ્રવાહી ટીપાંના રૂપમાં ઉપલબ્ધ છે. આ દવાઓ ડૉક્ટરની સલાહ મુજબ લેવી જોઈએ, કારણ કે યોગ્ય માત્રામાં લેવાયેલ સપ્લિમેન્ટ શરીરમાં ઝડપથી કામ કરે છે અને વિટામિન ડીની ઉણપને ઝડપથી દૂર કરે છે. સપ્લિમેન્ટ્સ ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક છે જેમને સૂર્યપ્રકાશમાં પૂરતો સમય મળતો નથી અથવા જેમને ઉણપ છે. તેમનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમના વિકલ્પો શાકાહારી લોકો માટે પણ ઉપલબ્ધ છે.

માછલીનું તેલ પણ લાભકારક

સપ્લિમેન્ટસ ઉપરાંત માછલીનું તેલ પણ વિટામિન ડીનો કુદરતી સ્ત્રોત માનવામાં આવે છે. ખાસ કરીને કોડ લીવર તેલમાં વિટામિન ડી સારી માત્રામાં જોવા મળે છે. આ ઉપરાંત, માછલીના તેલમાં ઓમેગા-3 ફેટી એસિડ પણ હોય છે, જે હૃદય અને મગજના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે શરીરમાં બળતરા ઘટાડવામાં મદદ કરે છે. જોકે, માછલીના તેલમાં વિટામિન ડીનું પ્રમાણ મર્યાદિત છે અને તેથી ગંભીર ઉણપને રોકવા માટે તે પૂરતું નથી. વધુમાં, તેની ગંધ અને સ્વાદ કેટલાક લોકોને ગમતો નથી અને તે શાકાહારીઓ માટે યોગ્ય નથી.

Leave a Reply

Related Post