સુરતમાં વાવાઝોડાની અસર સાથે વરસાદ: જહાંગીરપુરામાં લગ્ન મંડપ ધરાશાયી, કોઈ હાજર ન હોવાથી જાનહાની ટળી; ભારે પવન ફૂંકાવાના દૃશ્યો CCTVમાં કેદ

સુરતમાં વાવાઝોડાની અસર સાથે વરસાદ:જહાંગીરપુરામાં લગ્ન મંડપ ધરાશાયી, કોઈ હાજર ન હોવાથી જાનહાની ટળી; ભારે પવન ફૂંકાવાના દૃશ્યો CCTVમાં કેદ
Email :

સુરત શહેરમાં ગત રાત્રિના ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિર પાસે લગ્ન મંડપ વાવાઝોડાની ઝપેટમાં આવી જતા ધરાશાયી થયો હતો. વરસાદ અને ભારે પવનના કારણે મંડપમાં નુકસાન થયું છે. જોકે સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ નથી. રાત્રિના ફૂંકાયેલા ભારે પવન દૃશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયાં હતાં. ભારે પવનથી આખો મંડપ જમીનદોસ્ત જહાંગીરપુરા ખોડીયાર માતાના મંદિર નજીક એક પરિવારનો લગ્નનો કાર્યક્રમ હોવાથી મંડપ બાંધવામાં આવ્યા હતા.

લગ્નની જાણ તમામ લોકોને કરવામાં આવી હતી, પરંતુ લગ્નના થોડા સમય બાદ અચાનક ભારે પવન શરૂ થયો હતો. પવન એટલો તીવ્ર હતો કે, મંડપના કાપડ અને સ્ટ્રક્ચર તૂટી પડ્યાં હતા અને આખો મંડપ જમીનદોસ્ત થઈ ગયો હતો. અકસ્માત સમયે કોઈ હાજર ન હોવાથી જાનહાની ટળી મંડપમાં લાગેલા ડેકોરેશનની સામગ્રી, સ્ટેજ, લાઈટિંગ સહિતના અન્ય સાધનોને પણ ભારે નુકસાન થયું છે. પવન સાથે વરસાદ વરસતા સ્થિતિ વધુ બગડી હતી. લોકોના જણાવ્યા મુજબ, ત્યાં હાજર ઘણા

લોકોએ સમયસર સ્થળ છોડ્યું હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. અકસ્માત સમયે ત્યાં કોઈ હાજર ન હોવાને કારણે કોઈને ઈજા થઈ નથી. તંત્રએ નાગરિકોને સલામતીના પગલા લેવા અપીલ કરી સ્થાનિક લોકો તથા પંડાલ વ્યવસ્થાપન કરતી ટીમે મંડપના નુકસાનના આંકલનનો આરંભ કર્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી કલાકોમાં પવનની ઝડપમાં વધારો થઈ શકે છે અને વરસાદની તીવ્રતા પણ વધુ શકે છે. તંત્ર દ્વારા સુરતના નાગરિકોને સલામતીના પગલાં લેવાની અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Related Post