'ટિકિટ અને હોટેલ બુકિંગના પૈસા કોણ રિફંડ કરશે?': ભારત-પાકિસ્તાનનાં તણાવ​​​​​​​ વચ્ચે અરિજિત સિંહનો કોન્સર્ટ રદ, લોકો સિંગર પર ગુસ્સે ભરાયા

'ટિકિટ અને હોટેલ બુકિંગના પૈસા કોણ રિફંડ કરશે?':ભારત-પાકિસ્તાનનાં તણાવ​​​​​​​ વચ્ચે અરિજિત સિંહનો કોન્સર્ટ રદ, લોકો સિંગર પર ગુસ્સે ભરાયા
Email :

ઓપરેશન સિંદૂર બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. જ્યાં પાકિસ્તાન સતત ડ્રોન અને મિસાઇલોથી હુમલા કરી રહ્યું છે અને ભારત આ હુમલાઓને નિષ્ફળ બનાવી રહ્યું છે. ગઈકાલે, ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચ અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી, હવે સિંગર અરિજિત સિંહનો અબુ ધાબીમાં યોજાવાનો કોન્સર્ટ પણ રદ કરવામાં આવ્યો છે. જોકે, સિંગરે ખાતરી આપી છે કે તે ટિકિટની સંપૂર્ણ રકમ પરત કરશે. ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફેન્સને આ માહિતી આપતાં અરિજિત સિંહે લખ્યું- ફેન્સ, તાજેતરની ઘટનાઓને કારણે, અમે અબુ ધાબીમાં યોજાનાર અરિજિત સિંહ લાઇફ કોન્સર્ટને મુલતવી રાખવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે. તે 9

મે 2025ના રોજ યાસ આઇલેન્ડના એતિહાદ એરેના ખાતે યોજાવાનો હતો. આ સમયે તમારા ધૈર્ય, સમર્થન અને સમજણની અમે પ્રશંસા કરીએ છીએ. અમે નવા સ્થળો અને સુવિધાઓ પર કામ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં તેની જાહેરાત કરીશું. બધી ખરીદેલી ટિકિટો આગામી કોન્સર્ટ માટે માન્ય રહેશે અથવા તમે 7 દિવસની અંદર સંપૂર્ણ રિફંડ મેળવી શકો છો. તમારા સતત પ્રેમ અને સમર્થન બદલ આભાર. 'હોટેલ અને ફ્લાઇટ ટિકિટનો ખર્ચો કોણ આપશે?' અરિજિત સિંહના શો મુલતવી રાખવાથી કેટલાક ફેન્સ ગુસ્સે છે. એક યુઝરે લખ્યું કે- હેલો અરિજિત, અમે ઈરાનથી આવ્યા છીએ, અમે ટિકિટ, હોટેલ અને ફ્લાઇટ પર ઘણા પૈસા

ખર્ચ્યા છે. અમે અમારા અન્ય આયોજનો પણ રદ કર્યા હતા. હવે અમારે શું કરવું જોઈએ? આ માટે કોણ જવાબદાર છે? અમે ફક્ત તમારા માટે આવ્યા છીએ. જ્યારે બીજા યુઝરે લખ્યું- કોન્સર્ટના એક દિવસ પહેલા આ જાહેરાત કરવી ખૂબ જ અયોગ્ય વાત છે. અમે પહેલેથી જ પહોંચી ગયા છીએ અને અહીં રાહ જોઈ રહ્યા હતા. એવું હોય તો વહેલું શેડ્યૂલ કરો, પણ કોન્સર્ટ તો કરો. અન્ય યુઝરે ગુસ્સામાં લખ્યું, એક દિવસ અગાઉથી જાહેરાત કરવી અસ્વીકાર્ય છે. અમે તમારા કોન્સર્ટમાં હાજરી આપવા માટે વિવિધ દેશોમાંથી આવ્યા છીએ. એરલાઇન ટિકિટ અને હોટેલ બુકિંગ માટે અમને કોણ રિફંડ કરશે?

Leave a Reply

Related Post