'ઓપરેશન સિંદૂર' પર ફિલ્મ બનશે?: બોલિવૂડ ફિલ્મ પ્રોડ્યુસર્સે ટાઇટલ રજિસ્ટ્રેશન માટે હોડ લગાવી; લોકભાવનાને અંકે કરવા અનેક ફિલ્મ નિર્માતાઓ-સ્ટુડિયો રેસમાં

'ઓપરેશન સિંદૂર' પર ફિલ્મ બનશે?:બોલિવૂડ ફિલ્મ પ્રોડ્યુસર્સે ટાઇટલ રજિસ્ટ્રેશન માટે હોડ લગાવી; લોકભાવનાને અંકે કરવા અનેક ફિલ્મ નિર્માતાઓ-સ્ટુડિયો રેસમાં
Email :

પહેલાગામ આતંકી હુમલા બાદ ભારતે 'ઓપરેશન સિંદૂર' દ્વારા આપેલા જડબાતોડ જવાબથી દેશના લોકોનો ભાવનાત્મક જુસ્સો હાઈ લેવલ પર છે. ત્યારે હવે બોલિવૂડના ખેલાડીઓમાં પણ 'ઓપરેશન સિંદૂર' ટાઇટલ રજિસ્ટ્રેશન માટે દોડધામ ચાલી રહી છે. આ માટે 15 ફિલ્મ નિર્માતાઓ દ્વારા FWICE(ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ ) નો સંપર્ક કરવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી એ નક્કી થયું નથી કે આખરે આ ખિતાબ કોને મળશે. પરંતુ આ હવાઈ હુમલા પર કોણ ફિલ્મ બનાવી શકે છે તે જોવું રસપ્રદ

રહેશે. ભારત દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર' પછી, ફિલ્મ ઉદ્યોગમાં આ ટાઇટલ માટે સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE) ના પ્રમુખ બી.એન. તિવારીએ ઇન્ડિયા ટુડે/આજ તક સાથેની વાતચીતમાં આ વાતનો ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં લગભગ 15 ફિલ્મ નિર્માતાઓ અને સ્ટુડિયોએ આ ટાઇટલ રજિસ્ટર કરવા માટે અરજી કરી છે. આ નોંધણી ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશન (IMPPA) દ્વારા કરવામાં આવી રહી છે. 'ઓપરેશન સિંદૂર' પર ફિલ્મ

બનશે જો સૂત્રોનું માનીએ તો, ફિલ્મ ઉદ્યોગમાં આ ટ્રેન્ડ નવો નથી. જ્યારે પણ કોઈ મોટો રાષ્ટ્રીય મુદ્દો કે ઘટના સામે આવે છે, ત્યારે ફિલ્મ નિર્માતાઓ તરત જ તેનાથી સંબંધિત શીર્ષક નોંધાવવાનો પ્રયાસ કરે છે. તેના પર ફિલ્મ બને કે ન બને, તેનું શીર્ષક સુરક્ષિત રાખવું મહત્ત્વપૂર્ણ છે. 'ઉરી', 'વોર' અને 'ફાઇટર' જેવી ફિલ્મોની સફળતા પછી, એવું જોવા મળ્યું છે કે યુદ્ધ અથવા દેશભક્તિ પર આધારિત વાર્તાઓ દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે. ટાઇટલ રજિસ્ટ્રેશન માટે સ્પર્ધા ફિલ્મ નિર્માતા અશોક પંડિતે

આ વિશે વાત કરી અને સ્વીકાર્યું કે તેમણે 'ઓપરેશન સિંદૂર' નામ નોંધાવવા માટે અરજી કરી છે. તેમણે કહ્યું કે 'ફિલ્મ બનશે કે નહીં તે અત્યારે કહેવું મુશ્કેલ છે, પરંતુ જ્યારે દેશ સાથે જોડાયેલો કોઈ મોટો મુદ્દો સામે આવે છે, ત્યારે નિર્માતા તરીકે અમારું પહેલું પગલું ટાઇટલ રજિસ્ટર કરવાનું છે. ફિલ્મનું પ્લાનિંગ ટાઇટલ વિના શરૂ પણ થઈ શકતું નથી.' અશોક પંડિતે એમ પણ કહ્યું કે તેઓ આ વિષય સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા અનુભવે છે. તેમણે આગળ કહ્યું,

'મને ખબર છે કે આ દેશ કઈ પરિસ્થિતિમાંથી પસાર થયો છે. છેલ્લાં 30-35 વર્ષથી આપણે પાકિસ્તાનથી જે સહન કર્યું છે તે કોઈથી છુપાયેલું નથી, હું પોતે પણ તે પીડા અનુભવું છું કારણ કે મારા દેશના લોકો આ આતંકવાદનો સીધો ભોગ બન્યા છે. આ સંગઠનો સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે અરજીઓ મોકલનારાઓમાં જોન અબ્રાહમનું પ્રોડક્શન બેનર, આદિત્ય ધર પ્રોડક્શન હાઉસ, મહાવીર જૈન કંપની, અશોક પંડિત, મધુર ભંડારકરનો સમાવેશ થાય છે. ઝી સ્ટુડિયો, જેપી ફિલ્મ્સ, બોમ્બે શો સ્ટુડિયો

અને ઓલમાઈટી મોશન પિક્ચર પણ રેસમાં છે. યુદ્ધની ઘટનાઓ સાથે સંબંધિત ઘણી ફિલ્મો બની ચૂકી છે નોંધનીય છે કે, જમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલામાં ઘણા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેના બદલામાં, ભારત દ્વારા 'ઓપરેશન સિંદૂર' શરૂ કરવામાં આવ્યું. આ અંતર્ગત પાકિસ્તાનમાં ઘણા આતંકવાદી અડ્ડાઓેને નિશાન બનાવવામાં આવ્યા હતા. જો આપણે ફિલ્મ વિશે વાત કરીએ તો, બોલિવૂડમાં વાસ્તવિક યુદ્ધની ઘટનાઓ સાથે સંબંધિત ઘણી ફિલ્મો બની ચૂકી છે., જેમાં 'ઉરી', 'બોર્ડર', 'કારગિલ' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

Leave a Reply

Related Post