રોહિત શર્મા રાજકારણમાં નવી ઈનિંગ શરૂ કરશે?: ટેસ્ટમાંથી સંન્યાસ લીધા બાદ ફડણવીસને મળ્યા, મહારાષ્ટ્ર CMએ શુભકામનાઓ પાઠવી; BJPમાં જોડાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું

રોહિત શર્મા રાજકારણમાં નવી ઈનિંગ શરૂ કરશે?:ટેસ્ટમાંથી સંન્યાસ લીધા બાદ ફડણવીસને મળ્યા, મહારાષ્ટ્ર CMએ શુભકામનાઓ પાઠવી; BJPમાં જોડાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું
Email :

ટી-20 ફોર્મેટ પછી હાલમાં જ ટેસ્ટ ક્રિકેટથી પણ સંન્યાસ લઈ ચૂકેલા ક્રિકેટર રોહિત શર્મા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળવા તેમના સરકારી આવાસ ‘વર્ષા’ પહોંચ્યા. આ મુલાકાત પછી રાહુલના રાજકારણમાં એન્ટ્રી લેવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે રોહિત શર્મા પણ બીજેપીમાં સામેલ થવાના છે. રાજકારણમાં એન્ટ્રીની ચર્ચાઓએ જોર પકડ્યું જોકે, સંન્યાસ લીધા પછી ક્રિકેટર્સનું પોલિટિક્સમાં આવવું કંઇ નવી વાત નથી. પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીનથી લઇને વિનોદ કાંબલી અને નવજોત સિંહી સિદ્ધુ સુધી આવા અનેક ખેલાડીઓ છે, જેમણે રાજનીતિને પોતાની બીજી ઇનિંગ બનાવી છે.

ફડણવીસે ફોટો શેર કર્યો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મુલાકાતની તસવીર પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી અને લખ્યું- ભારતીય ક્રિકેટર રોહિત શર્માનું મારા સરકારી આવાસમાં સ્વાગત. તેમને મળીને અને વાતચીત કરીને ખૂબ જ આનંદ થયો. મેં તેમને ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લેવા પર શુભકામનાઓ આપી અને તેમના કરિયરના બીજા અધ્યાય માટે પણ કામના કરી છે. 7 મેના રોજ રોહિતે સંન્યાસ લીધો રોહિત શર્માએ 7 મેના રોજ તાત્કાલિક અસરથી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, જેનાથી સૌથી લાંબા ફોર્મેટમાં તેમના ભવિષ્ય અંગેની બધી અટકળોનો અંત આવ્યો. 38 વર્ષીય ખેલાડી પોતાની

કારકિર્દીના બીજા ભાગમાં ભારતના સૌથી સફળ ટેસ્ટ બેટરોમાંના એક હતા. રોહિત શર્માનું ટેસ્ટ કરિયર આવું રહ્યું રોહિત શર્માએ 67 ટેસ્ટમાં 12 સદી અને 18 અર્ધસદીની મદદથી 40.57ની સરેરાશથી 4301 રન બનાવ્યા. રોહિતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં ભારતની કેપ્ટનશિપ કરી હતી. ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી શ્રેણી અને ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર શ્રેણી સિવાય, કેપ્ટન તરીકે તેમનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું છે. હવે ભારતીય ટીમે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે નવો કેપ્ટન પસંદ કરવો પડશે. રોહિત ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો 2024-25 સીઝન દરમિયાન રોહિત મુશ્કેલ સમયમાંથી પસાર થયો. તેણે 15 મેચમાં

10.83 ની સરેરાશથી 164 રન બનાવ્યા. બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામેની ઘરઆંગણેની શ્રેણી દરમિયાન રોહિત ખરાબ ફોર્મમાં હતો. આ પછી, તે પુત્રના જન્મને કારણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચમાં રમ્યો ન હતો. એડિલેડમાં બીજી ટેસ્ટ દરમિયાન જ્યારે રોહિત પાછો ફર્યો, ત્યારે તેણે ઇનિંગની શરૂઆત કરી નહીં અને યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલને ઇનિંગની શરૂઆત કરવા મોકલ્યા. રોહિતની ગેરહાજરીમાં, યશસ્વી અને રાહુલની જોડીએ પ્રથમ ટેસ્ટમાં 201 રનની ભાગીદારી કરી હતી. રોહિતે 12 ટેસ્ટ સદી ફટકારી રોહિતે 2013માં ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. 2021 દરમિયાન તે પ્લેઇંગ-11માં પોતાનું સ્થાન મજબૂત કરવામાં

સફળ રહ્યો અને 2022માં કેપ્ટનશીપ પણ મેળવી. ભારત માટે 67 ટેસ્ટમાં, તેણે 40.57ની સરેરાશથી રન બનાવ્યા, પરંતુ ઘરઆંગણે તેની સરેરાશ ઘટીને 31.01 થઈ ગઈ. ઓસ્ટ્રેલિયામાં રોહિતની સરેરાશ 24.38 અને સાઉથ આફ્રિકામાં 16.63 હતી. જોકે, ઇંગ્લેન્ડમાં તેણે 44.66ની સરેરાશથી સ્કોર કર્યો. તેણે ગયા પ્રવાસમાં ઓપનિંગ કરતી વખતે સદી પણ ફટકારી હતી. રોહિતની નિવૃત્તિ પછી, ટીમ ઈન્ડિયા યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલને ટેસ્ટ ટીમમાં કાયમી ઓપનર તરીકે ફિટ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. રોહિત ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે નિષ્ફળ રહ્યો હતો રોહિત ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટ સિરીઝમાં

પણ બેટથી ખરાબ રીતે નિષ્ફળ ગયો હતો. તે ન્યૂઝીલેન્ડ સામે 15.16 અને ઓસ્ટ્રેલિયા સામે 6.20ની સરેરાશથી રન બનાવી શક્યો. પસંદગીકારોએ હવે નિર્ણય લીધો છે કે રોહિતના આ ફોર્મને કારણે તેને કેપ્ટનશીપની જવાબદારી સોંપી શકાય નહીં. રોહિત પહેલી ટેસ્ટ રમી શક્યો નહીં. તે બીજી ટેસ્ટમાં પ્લેઇંગ-11નો ભાગ બન્યો, પરંતુ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા આવ્યો. ત્યારબાદ ભારતે જસપ્રીત બુમરાહની કેપ્ટનશીપ હેઠળ પહેલી ટેસ્ટ જીતી હતી, પરંતુ રોહિતની કેપ્ટનશીપ હેઠળ 2 મેચ હારી ગઈ હતી. તે સિડનીમાં છેલ્લી ટેસ્ટ રમી શક્યો ન હતો અને હવે તેણે નિવૃત્તિ લઈ લીધી છે.

Leave a Reply

Related Post