'એક-બે વાર નહિ હજાર વખત મને પ્રપોઝ કર્યું હતું': મુમતાઝે સંભળાવ્યો યશ ચોપરા સાથેનો કિસ્સો, ડિરેક્ટરની છેલ્લી ઈચ્છા વિશે પણ કરી વાત

'એક-બે વાર નહિ હજાર વખત મને પ્રપોઝ કર્યું હતું':મુમતાઝે સંભળાવ્યો યશ ચોપરા સાથેનો કિસ્સો, ડિરેક્ટરની છેલ્લી ઈચ્છા વિશે પણ કરી વાત
Email :

પીઢ એક્ટ્રેસ મુમતાઝ અને યશ ચોપરાએ ફિલ્મ 'આદમી ઔર ઇન્સાન'માં સાથે કામ કર્યું હતું. એવું કહેવાય છે કે યશ ચોપરા એક સમયે મુમતાઝના પ્રેમમાં પાગલ હતા અને તેમની સાથે લગ્ન કરવા માંગતા હતા. હવે તાજેતરમાં મુમતાઝે યશ ચોપરા સાથેના તેમના સંબંધો વિશે વાત કરી. તેમણે કહ્યું કે- યશ ચોપરા વારંવાર તેમના ઘરે આવતા હતા અને વારંવાર લગ્ન માટે પ્રપોઝલ મૂકતા હતા. પત્રકાર વિક્કી લાલવાણી સાથેની વાતચીતમાં, મુમતાઝને પૂછવામાં આવ્યું કે શું એ

સાચું છે કે યશ ચોપરા તેમને પસંદ કરતા હતા અને તેમનો પીછો કરતા હતા. આના જવાબમાં તેમણે કહ્યું, 'એક વાર નહીં, પણ યશ ચોપરાએ મને હજાર વાર લગ્ન માટે કહ્યું હશે.' પણ હું તેને પ્રેમ નહોતી કરતી, તો હું તેની સાથે લગ્ન કેવી રીતે કરી શકું? યશ ચોપરાએ મને ઘણી વાર કહ્યું હતું કે- ઓય મોટી (યશ ચોપરા મુમતાઝને પ્રેમથી આવી રીતે બોલાવતા હતા), આય લવ યૂ યાર, મારી સાથે લગ્ન

કરી લે. આગળ તેમણે કહ્યું- કોઈ વ્યક્તિ સાથે સંબંધ ત્યારે જ બંધાઈ શકીએ જ્યારે તમે તે વ્યક્તિને પ્રેમ કરતા હોય. તમને તે વ્યક્તિની નજીક રહેવું ગમવું જોઈએ અને આ માટે, તમારા બંને વચ્ચે સારી કેમેસ્ટ્રી હોવી જોઈએ. જો કેમેસ્ટ્રી ન હોય તો તમે પરિણીત યુગલની જેમ કેવી રીતે રહી શકો? મારી અને તેમની વચ્ચે ક્યારેય આવી કેમિસ્ટ્રી નહોતી. મુમતાઝે કહ્યું કે, મને યશ ચોપરા એક ડિરેક્ટર અને પ્રોડ્યુસર તરીકે ગમતા હતા. પરંતુ

તેમની સાથેનો સંબંધ ક્યારેય તે મર્યાદાથી આગળ વધ્યો નહીં. એક માણસ તરીકે તેઓ શ્રેષ્ઠ લોકોમાંના એક હતા. તેઓ હંમેશા સેટ પર લોકોને હસાવતા રહેતા. જ્યારે તેઓ ગુજરી ગયા, ત્યારે હું ખૂબ રડી પડી હતી. 'હું તે સમયે લંડનમાં હતી. તે ગુજરી ગયા તેના થોડા સમય પહેલા, તેમણે મને ફોન કર્યો અને કહ્યું કે- તારે મારી નવી ફિલ્મ ચોક્કસ જોવી જોઈએ. તેમણે મને કહ્યું કે- હું આ ફિલ્મ જોઈશ તેવું પ્રોમીશ કરું.

મેં હા પાડી. પણ પછી તેમણે દુનિયાને અલવિદા કહી દીધું. મને ખૂબ દુઃખ છે કારણ કે તે ખૂબ જ સારા વ્યક્તિ હતા. મુમતાઝે આગળ કહ્યું, 'મને સમજાતું નથી કે તે આટલા જલ્દી કેમ ચાલ્યા ગયા.' મને ખબર નથી કે તેમને કયો રોગ હતો. મને ખાતરી છે કે તેમના પરિવારે તેમને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, પણ તેઓ બચાવી શક્યા નહીં. તેમની પુત્રવધૂ રાણી મુખર્જી મને એક પાર્ટીમાં મળી અને કહ્યું કે યશજી

ઇચ્છે છે કે તમે સ્ટુડિયોમાં આવો. તમે ક્યારે આવશો? હું તમને આખો સ્ટુડિયો બતાવીશ. હું ખરેખર સ્ટુડિયો જોવા માંગતી હતી, કારણ કે તે તેની છેલ્લી ઇચ્છા હતી. પણ હવે મને ફોન કરીને ટૂર માટે પૂછવાનું યોગ્ય નથી લાગતું. યશ ચોપરાએ 80 વર્ષે દુનિયાને અલવિદા કહ્યું હતું વર્ષ 2012માં, યશ ચોપરાને ડેન્ગ્યુ થયો હતો, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ મલ્ટીપલ ઓર્ગન ફેલઈયરને કારણે તેમનું મૃત્યુ થયું. તેઓ 80 વર્ષના હતા.

Leave a Reply

Related Post